Bharuch Election Result 2024: ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની સતત 7મી જીત, AAPના ચૈતર વસાવાને 85,696 મતે હરાવ્યા

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 04 Jun 2024 06:50 PM (IST)Updated: Tue 04 Jun 2024 06:50 PM (IST)
bharuch-lok-sabha-election-result-2024-live-updates-vote-counting-winning-candidate-name-latest-news-in-gujarati-live-blog-339726

Bharuch Lok Sabha Election Result 2024 Live Updates (ભરૂચ લોકસભા બેઠક): આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઇ રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે ફરી મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. જ્યારે તેમને પડકાર ફેંકવા માટે ઇન્ડી ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર જોરદાર રસાકસી ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળી હતી. જો કે જનતાએ સતત સાતમી વખત મનસુખ વસાવા પણ પસંદગીનો કળશ ઢોળ્યો છે.

LIVE UPDATES:

  • ભરૂચ લોકસભા બેઠક પર NOTAને 23,283 મત મળ્યા
  • આપ ઉમેદવાર ચૈતર વસાવાએ હાર સ્વીકારી, ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 92,995 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 1,01,996 મતથી આગળ
  • ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 3.51 લાખ કરતાં વધુ મત મળ્યા, AAPના ચૈતર વસાવા 61,311 મતથી પાછળ
  • ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા 58 હજાર કરતાં વધુ મતથી આગળ
  • ભાજપ મનસુખ વસાવા 5427 મતથી આગળ
  • ભાજપના મનસુખવ વસાવા 1440 મતથી આગળ
  • AAP ઉમેદવાર ચૈતર વસાવા આગળ, ભાજપના મનસુખ વસાવા પાછળ

2024ની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર કેટલું થયું મતદાન
ગુજરાત લોકસભાની ચૂંટણી 2024માં ભરૂચ લોકસભા બેઠક પર 69.16 % મતદાન થયું છે. જેમાં કરજણ વિધાનસભા ક્ષેત્રમાં 67.04 %, ડેડિયાપાડામાં 83.94 %, જંબુસરમાં 65.42 %, વાગરામાં 67.52 %, ઝગડિયામાં 77.36 %, ભરૂચમાં 60.43 % અને અંકલેશ્વરમાં 64.74 % મતદાન થયું છે.

ક્લિક કરીને વાંચો ગુજરાતની તમામ 25 બેઠક પર શું પરિણામ આવ્યું?

પાર્ટીઉમેદવારનું નામકેટલા મત મળ્યા?
ભાજપમનસુખ વસાવા6,08,157
આપચૈતર વસાવા5,22,461

2019માં શું હતી સ્થિતિ
2019ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર 73.24 % મતદાન થયું હતું. જેમાં કરજણ વિધાનસભા ક્ષેત્રમાં 73.52 %, ડેડિયાપાડામાં 85.01 %, જંબુસરમાં 68.38 %, વાગરામાં 72.6 %, ઝગડિયામાં 80.12 %, ભરૂચમાં 66.05 % અને અંકલેશ્વરમાં 69.07 % મતદાન થયું હતું. ભાજપે આ ચૂંટણીમાં મનસુખ વસાવાને રિપિટ કર્યા હતા. તેમની સામે કોંગ્રેસમાંથી શેરખાન પઠાણને ટિકિટ આપવામાં આવી હતી. મનસુખ વસાવાને 637795 મત મળ્યા હતા. જ્યારે શેરખાન પઠાણને 303581 મત મળ્યા હતા. મનસુખ વસાવાનો 334214 મતના માર્જીનથી વિજય થયો હતો.

લોકસભા બેઠક
કચ્છસુરેન્દ્રનગરખેડા
બનાસકાંઠારાજકોટપંચમહાલ
પાટણપોરબંદરદાહોદ
મહેસાણાજામનગરવડોદરા
સાબરકાંઠાજૂનાગઢછોટા ઉદેપુર
ગાંધીનગરઅમરેલીભરૂચ
અમદાવાદ ઇસ્ટભાવનગરબારડોલી
અમદાવાદ વેસ્ટઆણંદવલસાડ
નવસારી