વડોદરા ગુજરાતનું ત્રીજા ક્રમનું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર છે. આ એક એવું શહેર છે કે જ્યાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તેના સુંદર સ્થાપત્ય માટે ઓળખવામાં આવે છે. વડોદરા ગુજરાતનું એક મહત્વનું શહેર છે. વડોદરાને બરોડા તરીકે પણ ઓળખવામાં આવે છે.સમયાંતરે આ શહેરનું નવા નવા નામાંકરણ થતું રહ્યું છે, જેમ કે વારાવતી, વાતપત્રક, બરોડા અને વડોદરા. અહીં સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી 1949માં અને અનેક એકેડમિક તથા સાંસ્કૃતિક ઈન્સ્ટિટ્યુટ છે. તેમા એન્જીનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, હોમિયોપેથિક મેડિકલ કોલેજ, વડોદરા બાયોઈન્ફોર્મેટિક્સ સેન્ટર, કલા ભવન અને અન્ય સંગ્રાહલયનો સમાવેશ થાય છે. અહીં આવેલ લક્ષ્મી વિલાસ મહેલ ખુબ જ જાણીતો છે. દિલ્હીથી વડોદરાનું અંતર 995.5 કિમી છે.