બનાસકાંઠા ગુજરાતના 26 લોકસભા મત વિસ્તાર પૈકી એક છે. જિલ્લા વહિવટીતંત્રનું વડુમથક પાલનપુરમાં છે. વર્ષ 1951માં અહીં પ્રથમ વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અકબર ભાઈ છાવડા સાંસદ પહોંચ્યા હતા. અહીં અંબાજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. ગુજરાતના તમામ જિલ્લામાં કરવામાં આવતી ખેતીમાં સૌથી વધારે ખેતી બનાસકાંઠામાં થાય છે. સમગ્ર ગુજરાતનો આશરે 17.67 ટકા ખેતી એકલા આ જિલ્લામાં ખેતી થાય છે. બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક ગુજરાતની સૌથી મહત્વની બેન્કો પૈકી એક છે. અહીં બે મોટા નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે 15 અને નેશનલ હાઈવે 27 છે,જે રાજસ્થાન અને પંજાબના અનેક શહેરોને ગુજરાત સાથે જોડે છે. પર્યટન સ્થળોની વાત કરવામાં આવે તો અહીં જેસોર સ્લેથ રીછ અભ્યારણ Jessore Sloth Bear Sanctuary, દાંતીવાડા ડેમ, કૈલાશ વાટિકા ગાર્ડન છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળમાં ગબ્બર ટેમ્પલ, અંબાજી પ્રસિદ્ધ છે. અહીં ગુજરાત-રાજસ્થાન સીમા આવેલ છે.