ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. તે ભારતનું બીજો એવું શહેર છે કે જે સંપૂર્ણપણે આયોજનથી વસાવવામાં આવેલ છે. તેને 'હરિત નગર' ગ્રીન સિટી કહેવામાં આવે છે. મહાત્મા ગાંધીની યાદમાં આ શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવેલ છે. ગાંધીનગર અમદાવાદથી 35 કિમી પૂર્વમાં સાબરમતી નદીના તટ વિસ્તારમાં આવેલ છે. 648 વર્ગ કિમીમાં ફેલાયેલ ગાંધીનગરને ચંડીગઢ બાદ ભારતનું બીજુ યોજનાપૂર્વક તૈયાર કરાયેલ શહેર છે. ચંડીગઢની ડિઝાઈન કરનાર ફ્રાંસ વાસ્તુશિલ્પ લી કોરબુસિયને આ શહેરની ડિઝાઈન કરી હતી. અમદાવાદનું સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ગાંધીનગરની બિલકુલ નજીક આવેલ એરપોર્ટ છે,જે જિલ્લાના વડામથકથી 32 કિમી અંતરે છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ભારતના સૌથી મોટા મંદિરો પૈકી એક મંદિર છે. અને અઙીં એક મુખ્ય તીર્થ સ્થળ છે. આ મંદિરનું ઉદઘાટન 30મી ઓક્ટોબર,1992માં કરવામાં આવ્યું હતું. દર વર્ષ 20 લાખથી વધારે લોકો આ મંદિરની મુલાકાતે આવે છે. અડાલજ, રાધેજા, દભોઈ વગેરે મુખ્ય જોવાલાયક સ્થળ છે.