Bhavnath (ભવનાથ)

Created By: Gujarati Jagran
ભવનાથ શબ્દ આવે એટલે ગિરનાર અને જૂનાગઢ પહેલા આવે. કારણ કે જૂનાગઢમાં આવેલું ભવનાથ યાત્રાળુઓનું આકર્ષણનું કેન્દ્ર છે. ભવનાથની તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવે છે. ગિરનાર પર્વત જવા માટે શ્રદ્ધાળુઓ ભવનાથથી શરૂઆત કરે છે. મહાશિવરાત્રીના અવસરે અહીં ભવ્ય મેળો થાય છે. સાધુ-સંતો મહાશિવરાત્રીની શોભાયાત્રા પછી અહીં મૃગી કુંડમાં સ્નાન કરે છે. નવા વર્ષની શરૂઆતમાં થતા લીલી પરિક્રમામાં પણ અહીં લાખો શ્રદ્ધાળુંઓ આવે છે.

















