Junagadh: મહાશિવરાત્રીનો મેળો બન્યો રોજગારીનું માધ્યમ, મેળામાં પધારતા ભાવિકો હોંશે-હોંશે બનાવડાવે છે કલાત્મક ટેટુઓ

નડિયાદમાંથી આવેલા ટેટુ આર્ટિસ્ટને મહાશિવરાત્રીનો મેળો ફળ્યો, રૂ.20 થી 2000 સુધીના બનાવતા ટેટુઓ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Feb 2026 05:50 PM (IST)Updated: Sat, 14 Feb 2026 05:50 PM (IST)
junagadh-news-tattoo-artists-find-employment-opportunities-at-bhavnath-fair-2026
HIGHLIGHTS
  • મશીન દ્વારા ટેટુઓ ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે

Junagadh: મહાશિવરાત્રીનો મેળો રોજગારીનું પણ માધ્યમ બન્યો છે, આ મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ કંડારી આપે છે.

નડિયાદના મીનાવાળાના એક ટેટુ આર્ટિસ્ટ વિજયે જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને હર હર મહાદેવ, ૐ, જય માતાજી વગેરે હેન્ડ રાઇટિંગ ઉપરાંત જુદી જુદી કલાત્મક ડિઝાઇન વગેરે બનાવી આપીએ છીએ. મશીન દ્વારા બનાવવામાં આવતા આ ટેટુઓ ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે.

મહાશિવરાત્રીના મેળામાં ડાકોરથી આવેલા અન્ય એક ટેટુ આર્ટિસ્ટે જણાવ્યું કે, રૂ. 20 શરૂ કરીને રૂ. 2000 સુધીનું ટેટુ બનાવી આપીએ છીએ. વધુમાં એમ પણ કહ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં સારી એવી રોજગારી પણ મળી રહે છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોના હૈયે અનેરો ઉત્સાહ હોય છે, ત્યારે ખાસ જુદા જુદા આકર્ષણમાં ભાવિકો પોતાની શ્રદ્ધા અને પસંદગી મુજબના કલાત્મક ટેટુઓ હોંશે હોંશે બનાવડાવતા હોય છે.

naidunia_image