Vastu Tips: માત્ર ઘરમાં આ સરળ ફેરફાર કરવાથી નસીબ ચમકી ઉઠશે, તિજોરી હંમેશા રૂપિયાથી છલકાશે

રસોડાની સામે બાથરૂમ ન બનાવવું જોઈએ. આ સાથે ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ના રાખવી જોઈએ.જેનાથી અણધાર્યા ખર્ચા આવે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 02 Aug 2025 07:31 PM (IST)Updated: Sat 02 Aug 2025 07:31 PM (IST)
vastu-tips-make-these-simple-changes-in-home-to-remove-vastu-dosh-578095
HIGHLIGHTS
  • વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્ત્વ
  • વાસ્તુના નિયમોને ઈગ્નોર કરવાથી નાણાંનો વ્યય વધે છે

Vastu Tips: ઘણી વખત વ્યક્તિ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે, આમ છતાં ઘરમાં પૈસા ટકતા નથી. મહિનાની શરૂઆતમાં ખિસ્સા ભરાઈ જાય છે, પણ થોડા દિવસોમાં સ્થિતિ ફરી એજ થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ વિચારે છે કે, ભૂલ ક્યાં થઈ રહી છે. જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે, તો એકવાર તમારા ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપો.

દિશાઓ અનુસાર આ કામકાજ કરો
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને તેના સંબંધિત કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પાણી સંબંધિત વસ્તુઓને હંમેશા ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. જેમ કે બોરિંગ, ફુવારો અથવા પાણીની ટાંકી વગેરે.

આ સાથે ઉત્તર દિશામાં ધન અર્થાત તિજોરી રાખવાથી તમને ફાયદો થાય છે. આજ સમયે વાસ્તુ અનુસાર, ઘરની પૂર્વ દિશા હંમેશા શક્ય તેટલી ખાલી રાખવી જોઈએ, જેથી પોઝિટિવ એનર્જી પ્રવાહ જળવાઈ રહે.

ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા પણ ખાલી અને સ્વચ્છ રાખવી જોઈએ. આ સાથે પૃથ્વી તત્વને મજબૂત કરવા માટે તમે આ જગ્યાએ ભારે લાકડાનું ફર્નિચર રાખી શકો છો. વાસ્તુ અનુસાર, આમ કરવાથી બિનજરૂરી ખર્ચાઓ અટકી શકે છે. આ દિશામાં આ નાના ફેરફારો કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો.

વાસ્તુ નિયમોને અવગણશો નહીં
જો તમે કેટલાક વાસ્તુ નિયમોને અવગણશો તો તેનાથી પૈસાનો વેડફાટ થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રસોડાની સામે બાથરૂમ ન બનાવવું જોઈએ. આ સાથે ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ના રાખવી જોઈએ.

જેનાથી પૈસાનો ખર્ચ પણ થઈ શકે છે. આ બધા નિયમોને અવગણવાથી વ્યક્તિને વાસ્તુ દોષનો સામનો પણ કરવો પડી શકે છે. જેના કારણે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.