India Asia Cup 2025 Announced: T20I ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે શુભમન ગિલની વાપસી, જસપ્રીત બુમરાહ પણ રમશે એશિયા કપ

આજે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) ને સોંપવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 19 Aug 2025 03:14 PM (IST)Updated: Tue 19 Aug 2025 03:18 PM (IST)
team-india-squad-for-asia-cup-2025-announced-surya-kumar-yadav-captain-and-shubman-gill-vice-captain-588031
HIGHLIGHTS
  • સૂર્યકુમાર યાદવને એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
  • શુભમન ગિલની એક વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે અને તેને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે.
  • જસપ્રીત બુમરાહ પણ આ T20I ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાગ હશે.

India T20I Squad for Asia Cup 2025 Announced: આજે એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ (Surya Kumar Yadav) ને સોંપવામાં આવી છે, જ્યારે શુભમન ગિલ (Shubman Gill) ને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલની એક વર્ષથી વધુ સમય પછી ટીમમાં વાપસી થઈ છે.

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયા

સૂર્યકુમાર યાદવ (C), શુભમન ગિલ (VC), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (WK), હર્ષિત રાણા, રિંકુ સિંહ.

એશિયા કપ 2025 ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થવા જઈ રહી છે અને તેની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે, જે ત્રીજી વખત છે જ્યારે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં યોજાશે. કુલ 8 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે, જેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં ચાર ટીમોનો સમાવેશ થાય છે. ભારતીય ટીમને ગ્રુપ-A માં પાકિસ્તાન, ઓમાન અને UAE સાથે મૂકવામાં આવી છે.

ટીમ ઈન્ડિયા પોતાનો પ્રથમ મુકાબલો 10 સપ્ટેમ્બરે દુબઈમાં UAE સામે રમશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સુપર ફોરમાં જશે અને ત્યારબાદ સુપર-4 ની ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. આ ટુર્નામેન્ટ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારીઓની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારતીય ટીમની જાહેરાત માટે પસંદગી સમિતિની બેઠક આજે બપોરે 12 વાગ્યાથી મુંબઈમાં યોજાશે. ત્યારબાદ બપોરે 1:30 વાગ્યે ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ બેઠકમાં ભાગ લેશે. તે ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને તે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી ચૂક્યો છે.

ભારતનો ગ્રુપ સ્ટેજ શેડ્યૂલ

ટીમ ઈન્ડિયાની પસંદગી પહેલાં, ભારતના શેડ્યૂલ પર એક નજર-

  • 10 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ યુએઈ - દુબઈ
  • 14 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન - દુબઈ
  • 19 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ ઓમાન - અબુ ધાબી