Ravichandran Ashwin Retirement From IPL: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી, અશ્વિને હવે IPLમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા, અશ્વિને પોતાના મોટા નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું હતું. અશ્વિને જણાવ્યું છે કે, તે હવે શું કરવા જઈ રહ્યો છે. અશ્વિને પોતાના IPL કારકિર્દીમાં 5 ટીમોમાં યોગદાન આપ્યું છે. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 221 મેચ રમી છે.
આર અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
આર અશ્વિને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે, આ જીંદગીનો એક ખાસ દિવસ છે. એવું કહેવાય છે કે દરેક વસ્તુનો અંત એક નવી શરૂઆત લાવે છે. અને, મારી સ્ટોરીમાં પણ કંઈક આવું જ છે. નિવૃત્તિ લેતી વખતે, અશ્વિને IPL, BCCI અને તે બધી ફ્રેન્ચાઇઝીઓનો આભાર માન્યો જેમના માટે તે રમ્યો હતો.
Special day and hence a special beginning.
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 27, 2025
They say every ending will have a new start, my time as an IPL cricketer comes to a close today, but my time as an explorer of the game around various leagues begins today🤓.
Would like to thank all the franchisees for all the…
અશ્વિને IPL માંથી નિવૃત્તિ કેમ લીધી?
હવે પ્રશ્ન એ છે કે અશ્વિને અચાનક IPLને અલવિદા કેમ કહેવાનું નક્કી કર્યું? જેમ તેણે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે દરેક અંત એક નવી શરૂઆત લાવે છે. તેના નિર્ણય પાછળનું કારણ પણ આ જ વાતમાં છુપાયેલું છે. અશ્વિનની નજર હવે અન્ય દેશોની T20 લીગ પર છે. તે તેમાં રમવા માંગે છે અને તેના માટે IPL માંથી નિવૃત્તિ જરૂરી હતી.
અશ્વિનની IPL કારકિર્દી - 5 ટીમ માટે 221 મેચ રમી
અશ્વિનની IPL કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 16 વર્ષમાં 5 ટીમોમાં યોગદાન આપ્યું છે. તેણે 2009માં IPL ની બીજી સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. CSK થી શરૂ થયેલી આ સફર પછી CSK પર સમાપ્ત થઈ. અશ્વિન IPL 2025 માં CSK નો પણ ભાગ હતો. આ દરમિયાન, તેણે રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે પણ મેચ રમી હતી. અશ્વિને કુલ 221 IPL મેચ રમી છે, જેમાં 187 વિકેટ લેવા ઉપરાંત, તેણે 1 અડધી સદી સાથે 833 રન પણ બનાવ્યા છે.