Dhanteras 2023 Shubh Muhurat: આ વર્ષે ધનતેરસ ક્યારે ઉજવાશે? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

By: AkshatKumar PandyaEdited By: AkshatKumar Pandya Publish Date: Fri 27 Oct 2023 10:44 AM (IST)Updated: Fri 10 Nov 2023 09:32 AM (IST)
dhanteras-2023-date-time-shubh-muhurat-puja-vidhi-rituals-and-significance-222498

Dhanteras 2023 Date And Shubh Muhurat: હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મહત્વપૂર્ણ છે. દિવાળીના તહેવારો અગિયારસથી શરુ થાય છે. અગિયારસ, વાઘ બારસ, ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતુ વર્ષનો સમાવેશ થાય છે. દરેક તહેવારનું અલગ-અલગ મહત્વ છે. અહીં વાત કરીશું ધન તેરસની. ધન તેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના થાય છે. આજના દિવસે માન્યતા છે કે સમુદ્ર મંથનમાંથી ધન્વન્તરી દેવી ઉત્પન્ન થયા હતા. તેથી આ દિવસે લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ચાલો જાણીએ ધનતેરસની તારીખ અને પૂજાનું મુહૂર્ત.

ધનતેરસ તારીખ(તિથિ) 2023
આ વર્ષે કાર્તક મહિનાની તેરસ તિથિ 10 નવેમ્બર 2023એ બપોરે 12.35 વાગે શરુ થશે અને 11 નવેમ્બર બપોરે 12.35એ પૂરી થશે. પ્રદોષ કાળમાં લક્ષ્મી માતાજીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રદોષ કાળ 10 નવેમ્બરે સાંજે 5.27થી 8.07 વાગ્યા દરમિયાન છે, તેથી 10 નવેમ્બર 2023ના રોજ ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે.

ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5.45થી 7.42 સુધી છે. આ મુહૂર્તમાં લક્ષ્મી, ગણેશ, કુબેર દેવતા અને ધન્વંતરિ દેવની પૂજા-અર્ચનાનું ખૂબ મહત્વ છે.

ધનતેરસની પૂજા વિધિ

  • ધનતેરસના દિવસે પૂજાના શુભ મુહૂર્તમાં ગણેશ-લક્ષ્મી, કુબેર દેવતા અને ધન્વંતરી દેવની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરો.
  • હવે મંદિરમાં દીવો પ્રગટાવો અને તમામ દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરો.
  • તેમને ધૂપ, દીપ, ફળ, ફૂલ, અખંડ ચંદન, અત્તર, મીઠાઈ સહિત પૂજાની તમામ સામગ્રી અર્પણ કરો.
  • આ પછી ભગવાન કુબેરના મંત્રનો જાપ કરો, ઓમ હ્રીં કુબેરાય નમઃ. ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો.
  • તેની સાથે જ દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતી વખતે તમામ દેવી-દેવતાઓનું ધ્યાન કરો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.