અક્ષત પંડ્યા, અમદાવાદ.
Pisces Vikram Samvat 2080 Yearly Horoscope | Meen Vikram Samvat 2080 Yearly Horoscope | મીન રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: આ વર્ષે મીન રાશિના જાતકોનું પડકારભર્યું રહેશે. વર્ષની શરુઆતમાં તમારી રાશિમાં રાહુ મહારાજ પ્રવેશ્યા છે, રાહુ મહારાજ તમારા જીવનમાં સંઘર્ષ લાવશે. હા અમુક બાબતે વર્ષ સારુ રહેશે જેમકે નવું વાહન-મકાન વસાવી શકો છો. ધંધામાં પણ સફળતાના નવા શિખરો પ્રાપ્ત કરશો. હાડકા સંબંધિત રોગો ન થાય તેનું ધ્યાન રાખવું.
ગ્રહોના ગોચરમાં આંશિક નજર
ગુરુ મહારાજનું ફળ
ગુરુ મહારાજ તમારી રાશિથી બીજા સ્થાનમાં ગોચર કરશે, જેથી કુંટુંબ-પરિવાર તરફથી તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે. શત્રુ પર વિજય મેળવશો. ગુપ્ત વિદ્યાઓમાં રુચિ વધશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે.
રાહુ મહારાજનું ફળ
રાહુ મહારાજ તમારી રાશિમાંથી પસાર થશે, જે તમને થોડો સંઘર્ષ કરાવશે. રાહુ મહારાજ હોસ્પિટલ, પોલીસ સ્ટેશનના દરવાજા પણ બતાવશે. સ્વાસ્થ્ય ખૂબ સાચવવું જરુરી બની રહેશે.
શનિ મહારાજનું ફળ
શનિ મહારાજ તમારી રાશિથી બારમા સ્થાને ગોચર કરશે. મહેનત કરશો પણ તેનું ફળ નહીં મળે તેવી ફરિયાદ વર્ષ દરમિયાન કરશો. સંબંધો જાળવી રાખવા જરુરી.
વ્યવસાય
વ્યાવસાયિક રીતે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. પૈસા તો કમાશો પણ ખર્ચ પણ નક્કી થઇ જશે. વેપાર ક્ષેત્રે ખર્ચ થશે. એકંદરે આ વર્ષ વેપાર ક્ષેત્રે તમને જીવનભર યાદ રહેશે તેવા મહત્વપૂર્ણ નિર્ણય લેશો.
આરોગ્ય
આ વર્ષે આરોગ્ય ક્ષેત્રે ખૂબ સાચવવાનું છે. માતાનું સ્વાસ્થ્ય ચિંતામાં મૂકી શકે છે. કફ-છાતીમાં દુખાવો જેવા દર્દીઓને આ વર્ષે ધ્યાન રાખવું. સહેજ પણ શંકાસ્પદ દેખાય તો રમતમાં ન લઈ ડોક્ટરને જણાવવું.
લગ્ન-લગ્નજીવન
લગ્નજીવન આ વર્ષે મધ્યમથી શુભ રહેશે. જીવનસાથી સાથે થોડા મતભેદો થઈ શકે, પરસ્પર સમજૂતી રાખશો તો જ લગ્નજીવન ટકશે. અપરિણીતોને લગ્ન માટે પાત્ર મળી શકશે.
અભ્યાસ
વિદ્યાર્થીમિત્રોને આ વર્ષે પડકારોનો સામનો કરવો પડશે. મેડિકલ, વકીલ, શિક્ષક ક્ષેત્રે સફળતા મળશે. વિદેશ અભ્યાસના યોગો બની રહ્યા છે.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.