અક્ષત પંડ્યા, અમદાવાદ.
Libra Vikram Samvat 2080 Yearly Horoscope | Tula Vikram Samvat 2080 Varshik Rashifal | તુલા રાશિનું વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2080: તુલા રાશિ માટે આ વર્ષ મિશ્ર રહેવાનું છે. ગુરુ-શનિ-રાહુ-કેતુ જેવા લાંબાગાળે રાશિ પરિવર્તન કરતા ગ્રહો તમને આ વર્ષે ખૂબ અસર કરવાના છે. ગુરુ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે, જે શત્રુ વિજય તેમજ કોર્ટ-કચેરીના કેસોમાં વિજય અપાવશે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું. માતાના સ્વાસ્થ્ય પાછળ પૈસાનો ખર્ચ થશે.
ગ્રહોના ગોચર પર આંશિક નજર
ગુરુ મહારાજનું ફળ-
ગુરુ ગ્રહ વર્ષ દરમિયાન તમારી રાશિથી સાતમા સ્થાને પરિભ્રમણ કરશે. જે તમારા માટે શુભ બાબત છે. જે જાતકોના લગ્ન નથી થઈ રહ્યા તેમને આ વર્ષે સારુ પાત્ર મળી શકે છે. અભ્યાસમાં સારી ડિગ્રી આ વર્ષે હાંસલ કરી શકશો. ગુરુ તમારા પર ખૂબ શુભ પ્રભાવ પાડશે. વાહન-મકાન ખરીદીના યોગો બની રહ્યા છે.
શનિ મહારાજનું ફળ-
વર્ષ દરમિયાન શનિ મહારાજ તમારી રાશિથી પાંચમા સ્થાને પરિભ્રમણ કરશે. જે વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સારું પરિણામ સૂચવે છે. વર્ષ દરમિયાન દંપતીને સંતાનપ્રાપ્તિની ઈચ્છા પૂરી થઈ શકે છે. અટવાયેલા કાર્યો પૂરા થશે.
રાહુ મહારાજનું ફળ-
વર્ષ દરમિયાન રાહુ મહારાજ તમારી રાશિથી છઠ્ઠા સ્થાનથી પરિભ્રમણ કરશે. જેનાં કારણે અગાઉ જણાવ્યું તે અનુસાર સ્વાસ્થ્યનું ધ્યાન ખૂબ રાખવું. વર્ષ દરમિયાન ઉર્જાવાન મહેસૂસ કરશો.
વ્યવસાય-
વ્યવસાય ક્ષેત્રે આ વર્ષ ખૂબ શુભ રહેવાનું છે. જાન્યુઆરી 2024 પછી તમારી કિસ્મત ચમકી શકે છે. નોકરીયાત વર્ગને સારી તક મળશે અને પ્રમોશનના યોગો પણ બની રહ્યા છે.
આરોગ્ય-
આરોગ્ય ક્ષેત્રે તમારે આ વર્ષે ખૂબ સાચવવાનું છે. વર્ષ દરમિયાન ઓમ રાં રાહવે નમ:ની માળા કરવી શુભ ફળ આપશે.
લગ્ન-લગ્નજીવન
લગ્ન અને પ્રેમ જીવન માટે આ વર્ષ ખૂબ જ સારુ રહેશે. અપરિણીતો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. લગ્નજીવનમાં થોડી મુશ્કેલીઓ આવશે પણ પરસ્પર સમજૂતીથી પાર પાડશો.
અભ્યાસ
વિદ્યાર્થીમિત્રોએ થોડી મહેનત કરવી પડશે પરંતુ તમને સારી એવી સફળતા હાથ લાગશે. વર્ષ અભ્યાસ માટે ખૂબ જ શુભ છે.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.