National Space Day પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે,- 'આર્યભટ્ટથી ગગનયાન સુધીની યાત્રા પેઢીઓને પ્રેરણા આપે છે'

આજે 23 ઓગસ્ટ 2025 ના રોજ, ભારત રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 23 Aug 2025 01:12 PM (IST)Updated: Sat 23 Aug 2025 01:12 PM (IST)
the-journey-from-aryabhatta-to-gaganyaan-inspires-generations-said-pm-modi-on-national-space-day-590459

National Space Day On PM Modi: વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચંદ્રયાન-3 ની સફળતાએ ઇતિહાસ રચ્યો છે. તેમણે આર્યભટ્ટથી ગગનયાન સુધીની થીમ પર પ્રકાશ પાડ્યો અને અવકાશ ક્ષેત્રમાં ભારતના વધતા નેતૃત્વની પ્રશંસા કરી હતી. 2023 માં, ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો.

પીએમ મોદીએ શુભેચ્છા આપી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ પર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આ વખતે અવકાશ દિવસની થીમ આર્યભટ્ટથી ગગનયાન સુધી છે. તેમાં ભૂતકાળનો આત્મવિશ્વાસ તેમજ ભવિષ્યનો સંકલ્પ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ઓછા સમયમાં, રાષ્ટ્રીય અવકાશ દિવસ આપણા યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો પ્રસંગ બની ગયો છે. આ દેશ માટે ગર્વની વાત છે.

વધુમાં કહ્યું કે, તાજેતરમાં ભારતે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું પણ આયોજન કર્યું છે. આ સ્પર્ધામાં 60 થી વધુ દેશોના લગભગ 300 યુવાનોએ ભાગ લીધો હતો. ભારતીય યુવાનોએ મેડલ પણ જીત્યા હતા. આ ઓલિમ્પિયાડ અવકાશ ક્ષેત્રમાં ભારતના ઉભરતા નેતૃત્વનું પ્રતીક છે. મને ખુશી છે કે ISRO એ યુવા મિત્રોનો અવકાશ પ્રત્યે રસ વધારવા માટે ઇન્ડિયન સ્પેસ હેકાથોન અને રોબોટિક્સ ચેલેન્જ જેવી પહેલ પણ કરી છે.

ભારત પાસે પણ પોતાનું સ્પેસ સ્ટેશન હશે

ઈસરોના ચેરમેન વી. નારાયણને કહ્યું કે, અમે ચંદ્રયાન-4 મિશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. અમે વિનસ ઓર્બિટર મિશન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. 2035 સુધીમાં આપણી પાસે BIS નામનું સ્પેસ સ્ટેશન હશે અને પહેલું મોડ્યુલ 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ NGL ને મંજૂરી આપી છે. 2040 સુધીમાં ભારત ચંદ્ર પર ઉતરશે અને અમે તેને સુરક્ષિત રીતે પાછું લાવીશું. આમ 2040 સુધીમાં ભારતીય અવકાશ કાર્યક્રમ વિશ્વના અન્ય કોઈપણ અવકાશ કાર્યક્રમની સમકક્ષ હશે.