India-Pakistan war: દેશના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલો થયો હતો, જેની સામે ભારતીય સેનાએ વળતો હુમલો કર્યો અને ઘણા પાકિસ્તાની લડાકુ વિમાનો અને ડ્રોનનો નાશ કર્યો. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક મોટું નિવેદન આપ્યું છે અને ભારતીય સેનાને ટેકો આપવાની વાત કરી છે.
અદાણીનું તાજેતરનું નિવેદન આવ્યું
દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ બાબતે તેમના સત્તાવાર X હેન્ડલ પર ટ્વિટ કર્યું છે અને લખ્યું છે- આ સમય દુનિયાને ભારતની સાચી તાકાત અને એકતા બતાવવાનો છે. જે તેની સમાનતાની સાથે તેની વિવિધતામાં પણ રહેલું છે.
આપણે અતૂટ એકતામાં ઉભા છીએ અને આપણા સશસ્ત્ર દળોને ટેકો આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ કારણ કે તેઓ આપણી માતૃભૂમિના આત્મા અને આપણા આદર્શોની ભાવનાનું રક્ષણ કરે છે.
Adani Group Chairperson Gautam Adani tweets, "It is in times like these that the world witnesses the true strength and unity of India, forged as much in her sameness, as in her diversity. We stand in unwavering solidarity and are committed to supporting our armed forces as they… pic.twitter.com/WRYAOgcHYo
— ANI (@ANI) May 8, 2025
પાકિસ્તાનમાં અફરાતફરી
8 મેના રોજ મોડી સાંજે, પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કરીને ભારતના સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. જેની સામે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કર્યો. જેના કારણે પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે.