Independence Day 2025 Flag Hoisting Time, Rules, Guidelines: ભારત આ વર્ષે તેનો 79મો સ્વતંત્રતા દિવસ (Independence Day 2025) ઉજવવા જઈ રહ્યું છે. આ દિવસે દેશભરમાં ઓફિસો, શાળાઓ અને યુનિવર્સિટીઓ સહિત અનેક સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું સન્માન અને ગરિમા જાળવવા માટે ભારતીય ધ્વજ સંહિતા, 2002 અને બંધારણ અનુસાર કેટલાક ખાસ નિયમો અને પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ત્રિરંગો ફરકાવતા પહેલા આ નિયમો જાણવા અત્યંત જરૂરી છે.
ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો મુખ્ય ભેદ સામાન્ય રીતે 'ધ્વજારોહણ' (Flag Hoisting) અને 'ધ્વજ ફરકાવવા' (Flag Unfurling) શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે, પરંતુ તેમની વચ્ચે મહત્વપૂર્ણ તફાવત છે.
ધ્વજારોહણ (Flag Hoisting)
આ પ્રક્રિયા 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસે કરવામાં આવે છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ ધ્વજને નીચે ઉતારીને ભારતનો રાષ્ટ્રધ્વજ ઉપર લહેરાવવામાં આવ્યો હતો, તેથી જ્યારે રાષ્ટ્રધ્વજને સ્તંભ પર નીચેથી ઉપર સુધી લહેરાવવામાં આવે છે ત્યારે તેને 'ધ્વજારોહણ' કહેવામાં આવે છે. સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ દિલ્હીના લાલ કિલ્લા પર યોજાય છે, જ્યાં દેશના વડાપ્રધાન ધ્વજારોહણ કરે છે.

ધ્વજ ફરકાવવું (Flag Unfurling)
આ પ્રક્રિયા 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસે થાય છે. પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ રાજપથ પર યોજવામાં આવે છે, જ્યાં દેશના રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે. આ દિવસે, ત્રિરંગો સ્તંભ પર પહેલેથી જ બાંધેલો હોય છે અને તેની સાથે ફૂલોની પાંખડીઓ પણ લાગેલી હોય છે, જેને દોરડું ખેંચીને ફરકાવવામાં આવે છે, જેના કારણે ફૂલોની વર્ષા થાય છે.
રાષ્ટ્રધ્વજની રચના અને પ્રતીકાત્મક અર્થ ત્રિરંગાના દરેક રંગ અને ચક્રનો પોતાનો વિશેષ અર્થ…
- ઉપલી પટ્ટી (ભગવો રંગ): શક્તિ અને હિંમતનું પ્રતીક.
- મધ્યમ પટ્ટી (સફેદ રંગ): શાંતિ અને સત્યનું પ્રતીક.
- નીચલી પટ્ટી (લીલો રંગ): પ્રગતિ અને સમૃદ્ધિનું પ્રતીક.
- ચક્ર: મધ્યમાં અશોક ચક્ર (24 આરા સાથે વાદળી વર્તુળ) છે, જે ધર્મ અને ગતિનું પ્રતીક છે.

ધ્વજ ફરકાવવા માટેના નિયમો અને પ્રોટોકોલ
ભારતીય ધ્વજ સંહિતા 2002 હેઠળ, રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે નીચેના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે:
સમય મર્યાદા: રાષ્ટ્રધ્વજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવી શકાય છે, ભલે તે કોઈપણ જાહેર, શૈક્ષણિક અથવા ખાનગી સ્થળે હોય. ખાસ પરિસ્થિતિઓમાં યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા હોય તો રાત્રે પણ ધ્વજ ફરકાવવાની મંજૂરી છે.
ફરકાવવાની પ્રક્રિયા: ધ્વજને પહેલા વાળીને રાખવામાં આવે છે, અને પછી દોરડું ખેંચીને ફરકાવવામાં આવે છે. આ પ્રક્રિયા રાષ્ટ્રગીત સાથે થવી જોઈએ. ત્રિરંગો ક્યારેય જમીન પર મુકવામાં આવતો નથી કે નમતો નથી.
દિશા અને સ્થાન: ધ્વજ હંમેશા ખુલ્લા આકાશ તરફ ફરકાવવો જોઈએ. ત્રિરંગો હંમેશા અન્ય ધ્વજ કરતા ઊંચા સ્થાને રાખવો જોઈએ અને કેસરી પટ્ટી હંમેશા ટોચ પર હોવી જોઈએ. ધ્વજ ફરકાવવાનું સ્થળ એવું હોવું જોઈએ કે દરેક વ્યક્તિ ત્રિરંગાને જોઈ શકે.
આકાર અને માપ: ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ, અને તેનો આકાર લંબચોરસ હોવો જોઈએ. અશોક ચક્રમાં 24 આરા હોવા જોઈએ.
ધ્વજ સાથેનો વ્યવહાર: આપણો રાષ્ટ્રધ્વજ ક્યારેય ફાટેલો, બાળી નાખેલો કે ગંદો ન હોવો જોઈએ. તેનો ઉપયોગ ડ્રેસ, યુનિફોર્મ, પડદો કે શણગાર માટે કરી શકાતો નથી. ધ્વજ પર કોઈપણ પ્રકારનું લખાણ, ચિત્ર કે કપડાં લગાવવાની મનાઈ છે. તિરંગો જમીનને અડવો ન જોઈએ.
અન્ય ધ્વજ: તિરંગાની સાથે અન્ય કોઈ પણ ધ્વજ ન ફરકાવવો જોઈએ, અને કોઈ પણ અન્ય ધ્વજનું સ્થાન તિરંગાની નીચે હોવું જોઈએ.
સજા અને દંડ: તિરંગાના અપમાન બદલ સજા જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો કે તેને બાળતો જોવા મળે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સાથે દંડ પણ ભરવો પડી શકે છે.