Dahi Handi Tragedy: દહીં હાંડી ઉત્સવમાં સર્જાઈ દુર્ઘટના, 32 વર્ષના ગોવિંદાનું થયું મોત, 30 લોકો ઈજાગ્રસ્ત

જગમોહન બાલ ગોવિંદ પાઠક સાથે સંકળાયેલા હતા. તેમના મૃત્યુથી ઉત્સવનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે.બપોરે 3 વાગ્યા સુધી મુંબઈમાં દહીંહાંડી સંબંધિત અકસ્માતોમાં 30 લોકો ઘાયલ થયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 16 Aug 2025 05:29 PM (IST)Updated: Sat 16 Aug 2025 05:29 PM (IST)
dahi-handi-tragedy-govinda-dies-several-injured-in-mumbai-celebrations-586522

Dahi Handi Tragedy: મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. માનખુર્દ વિસ્તારના મહારાષ્ટ્ર નગરમાં દોરડું બાંધતી વખતે 32 વર્ષીય ગોવિંદ જગમોહન શિવકિરણ ચૌધરી જમીન પર પડી ગયા હતો. તેમને તાત્કાલિક શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જગમોહન બાલ ગોવિંદ પાઠક સાથે સંકળાયેલા હતા. તેમના મૃત્યુથી ઉત્સવનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો છે. BMC અહેવાલો અનુસાર શનિવારે બપોરે 3 વાગ્યા સુધી મુંબઈમાં દહીંહાંડી સંબંધિત અકસ્માતોમાં 30 લોકો ઘાયલ થયા છે.

  • કેટલા લોકોને ક્યાં દાખલ કરવામાં આવ્યા છે?
  • કૂપર હોસ્પિટલ- 18 ઈજાગ્રસ્ત થયા, 12 દાખલ અને 6 ને રજા આપવામાં આવી
  • KEM હોસ્પિટલ- 6 ઈજાગ્રસ્ત આવ્યા, 3 દાખલ અને 3 ને રજા આપવામાં આવી
  • નાયર હોસ્પિટલ- 6 ઈજાગ્રસ્ત આવ્યા,1 દાખલ અને 5 ને રજા આપવામાં આવી

BMCનો મોટો નિર્ણય
દર વર્ષે, દહીં હાંડી ઉત્સવ દરમિયાન, આપણને ઘણા ગોવિંદાઓ ઘાયલ થયાના સમાચાર મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, BMCએ આ વખતે એક ખાસ પગલું ભર્યું છે. બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ તમામ મ્યુનિસિપલ હોસ્પિટલોને ઘાયલ ગોવિંદાઓને મફત સારવાર આપવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત હોસ્પિટલોએ દર ત્રણ કલાકે ઘાયલોનો રિપોર્ટ ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં મોકલવાનો રહેશે જેથી પરિસ્થિતિ પર નજર રાખી શકાય છે. મોટા દહીં હાંડી સ્થળોએ પણ ટીમો તૈનાત કરવામાં આવી છે.