Happy Independence Day 2025 Slogans: 15 ઓગસ્ટ 2025, ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ; દેશભક્તિના સૂત્રોથી ઉમંગ અને એકતાનો સંદેશ

Independence Day Slogans in Gujarati: સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના સૂત્રો આપણને સ્વતંત્રતાના મહત્વની યાદ અપાવે છે. આ સૂત્રો યુવાનોને ઉત્સાહથી ભરી દે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 13 Aug 2025 10:47 AM (IST)Updated: Wed 13 Aug 2025 10:48 AM (IST)
happy-independence-day-2025-slogans-in-gujarati-swatantra-diwas-15-august-584375
HIGHLIGHTS
  • સ્વતંત્રતા દિવસ 2025 પર દેશભક્તિના સૂત્રો ભારતની આઝાદીના મહત્વની યાદ અપાવે છે.
  • બાલ ગંગાધર તિલક, સુભાષ ચંદ્ર બોઝ, અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓના સૂત્રો આજે પણ પ્રેરણાદાયક છે.
  • આ સૂત્રો શાળા, કોલેજો અને કાર્યક્રમોમાં યુવાનોમાં દેશભક્તિ, એકતા અને સમર્પણની ભાવના જગાડવા માટે વપરાય છે.

Happy Independence Day 2025 Slogans in Gujarati: ભારત 15 ઓગસ્ટ, 2025ના રોજ પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ (Independence Day 2025) મનાવવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય પર્વ આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના અદમ્ય બલિદાન અને સંઘર્ષની યાદ અપાવે છે. સ્વતંત્રતા દિવસ માત્ર ઐતિહાસિક મહત્વ જ નથી ધરાવતો, પરંતુ તે દેશભક્તિ, એકતા અને સમર્પણનું પણ પ્રતીક છે. આ દિવસે દેશ ત્રિરંગા હેઠળ એક થાય છે અને આઝાદીના આનંદની ઉજવણી કરે છે.

આ વિશેષ અવસરે, દેશભક્તિના સૂત્રો એક અગત્યની ભૂમિકા ભજવે છે. આ સૂત્રો માત્ર શબ્દો નથી, પરંતુ તે દરેક ભારતીયના હૃદયમાં દેશ પ્રત્યે પ્રેમ અને જવાબદારી જગાડતી લાગણીઓ છે. તે યુવાનોને પ્રેરણા આપે છે, બાળકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવે છે, અને દરેક નાગરિકને તેમની ફરજોની યાદ અપાવે છે. આ સૂત્રો લોકોના હૃદયને ઉત્સાહથી ભરી દે છે અને આપણને યાદ અપાવે છે કે આઝાદી કેટલી મહેનતથી પ્રાપ્ત થઈ છે.

શાળાઓ, કોલેજો, અને સરકારી સંસ્થાઓમાં આયોજિત કાર્યક્રમો, ભાષણો, અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં આ સૂત્રોનો વ્યાપક ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે, આ સૂત્રોને પોસ્ટરો, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, અને દેશભક્તિની રેલીઓમાં પણ અપનાવી શકાય છે. બાળકોને આ સૂત્રો શીખવવાથી તેમની દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને છે.

સ્વતંત્રતા દિવસના સૂત્રો - Independence Day Slogans in Gujarati

'જન ગણ મન' - ઠાકુર રવિન્દ્રનાથ ટાગોર

'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ.' - બાલ ગંગાધર તિલક

'જય હિન્દ' - સુભાષ ચંદ્ર બોઝ

'દેશની પૂજા એ જ રામની પૂજા' - મદનલાલ ઢીંગરા

'સાયમન કમિશન પાછા જાઓ' - લાલા લજપત રાય

'અંગ્રેજો ભારત છોડો'- મહાત્મા ગાંધી

'અવિશ્વાસ ભયનું પ્રમુખ કારણ હોય છે.' - સરદાર વલ્લભભાઈ પટેલ

'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા' - મોહમ્મદ ઇકબાલ

'કમજોર ક્યારેય માફ નથી કરતા, ક્ષમા કરવું બળવાન લોકોની વિશેષતા છે' - મહાત્મા ગાંધી

'મુશ્કેલ સમયમાં કાયર લોકો બહાના શોધે છે તો જ્યારે, બહાદુર લોકો રસ્તા શોધે છે.' - સરદાર વલ્લભભાઈ પટેલ

'દુશ્મનોની ગોળીઓનો આપણે સામનો કરીશું, આઝાદ છીએ, આઝાદ જ રહીશું' - ચંદ્ર શેખર આઝાદ

'પ્રજાનો વિશ્વાસ, રાજ્યની નિર્ભયતાની નિશાની છે.' - સરદાર વલ્લભભાઈ પટેલ

'તેઓ મને મારી શકે છે પરંતુ મારા વિચારોને નહીં, તેઓ મારા શરીરને કચડી શકે છે પરંતુ મારી આત્માને કચડી નાખવા તેઓ સક્ષમ નથી' - ભગતસિંહ

'ભાગ્યમાં નહીં તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો' - ડૉ. ભીમરાવ આંબેડકર

'વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા' - શ્યામ લાલ ગુપ્તા

'હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન' – ભારતેન્દુ હરિશ્ચંદ્ર

'તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.' - સુભાષ ચંદ્ર બોઝ

'વ્યક્તિઓને કચડીને તેઓ વિચારોને નથી મારી શકતા.' - ભગતસિંહ

'આરામ હરામ છે.' - જવાહરલાલ નેહરુ

'કરો અથવા મરો.' - મહાત્મા ગાંધી

'ઇન્કલાબ ઝિંદાબાદ' - ભગતસિંહ

'વંદે માતરમ' - બંકિમ ચંદ્ર ચેટર્જી

'સત્યમેવ જયતે' - મદન મોહન માલવિયા

'સામ્રાજ્યવાદનો વિનાશ થાય' - ભગતસિંહ

'પૂર્ણ સ્વરાજ' - પંડિત જવાહરલાલ નેહરુ

'હું મારી ઝાંસી નહીં આપું' - રાણી લક્ષ્મીબાઈ

'ચલો દિલ્હી' - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ

'સંપૂર્ણ ક્રાંતિ' - જય પ્રકાશ નારાયણ

'મારો ફિરંગીઓને' - મંગલ પાંડે

'દેશ બચાવો-દેશ બનાવો' - પી.વી. નરસિંહ રાવ

'જય જવાન-જય કિસાન' - લાલ બહાદુર શાસ્ત્રી