Donald Trump Tariffs: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ કેમ લગાવ્યો? વ્હાઈટ હાઉસે કર્યો મોટો ખુલાસો

લેવિટ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારે દબાણ કર્યું છે, જેમાં ભારત પરનો વધારાનો ટેરિફ પણ શામેલ છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 20 Aug 2025 11:07 AM (IST)Updated: Wed 20 Aug 2025 11:07 AM (IST)
us-president-donald-trump-imposed-sanctions-on-india-to-pressure-russia-over-ukraine-war-white-house-588555

Donald Trump India Tariffs: અમેરિકા ભારત પર ટેરિફ લાદવા અંગે નવા દાવા કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન વિવાદ સમાપ્ત કરવા ભારત પર ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પ ઈચ્છે છે કે સંઘર્ષ સમાપ્ત થાય અને આ હેતુથી જ અમેરિકાએ ભારત પર પ્રતિબંધો લગાવ્યા છે. શરૂઆતમાં 25 ટકા ટેરિફ હતો, જે પછી બમણો કરીને કુલ 50 ટકા કરવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ કેમ લગાવ્યો?

લેવિટ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારે દબાણ કર્યું છે, જેમાં ભારત પરનો વધારાનો ટેરિફ પણ શામેલ છે. ટ્રમ્પ હંમેશા સંઘર્ષને વિરામ આપવા માંગતા હતા. તેમણે વ્હાઇટ હાઉસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી, તેમને પુતિન સાથે વાટાઘાટો કરી યુદ્ધ સમાપ્ત કરવા જણાવ્યું. નાટો મહાસચિવ સહિત યુરોપિયન નેતાઓ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરતા સહમત થયા.

લેવિટે વધુમાં કહ્યું કે પુતિન સાથેની ટ્રમ્પની બેઠકના 48 કલાકમાં યુરોપિયન નેતાઓ વ્હાઇટ હાઉસમાં મળ્યા, જે શાંતિ માટેના ટ્રમ્પના પ્રયાસોનું પરિણામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારેય શરૂ જ ન થાત. લેવિટે ઉમેર્યું કે બંને નેતાઓ ટ્રમ્પના આભારી છે કે તેઓ શાંતિ કરાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.