રાજકોટમાં જુના માર્કેટિંગ યાર્ડ પાસે અસામાજિક તત્વોનો આતંક, ચાલુ બસમાં કર્યો પથ્થરમારો

શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે મોડી રાત્રે અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. અજાણ્યા શખ્સો દ્વારા જૂનાગઢ થી સુરત જઈ રહેલી છ થી સાત બસ પર પથ્થરમારો કર્યો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 20 Aug 2025 08:23 AM (IST)Updated: Wed 20 Aug 2025 08:23 AM (IST)
anti-social-elements-terrorize-near-the-old-marketing-yard-in-rajkot-stones-are-pelted-at-a-moving-bus-588455

Rajkot News: મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢથી સુરત જતી બસો જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક અસામાજિક તત્વોએ બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં એક બસના ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે તપાર શરુ કરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.