ભાદરવી પૂનમનો મહામેળોઃ અંબાજીમાં મહામેળો હવે અંતિમ ચરણમાં, 6 દિવસમાં 39 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, મંદિરને 5.70 કરોડની આવક

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 28 Sep 2023 07:13 PM (IST)Updated: Thu 28 Sep 2023 07:14 PM (IST)
ambaji-bhadarvi-poonam-2023-over-39-lakh-devotees-come-to-the-temple-in-six-days-204465

Ambaji Bhadarvi Poonam 2023: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજદિન સુધીમાં લાખો માઇભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. છ દિવસમાં મેળામાં 39 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા છે. આ 6 દિવસમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 5.70 કરોડની આવક થઇ છે.

28 સપ્ટેમ્બરે મેળાના છઠ્ઠા દિવસે 8.89 લાખ ભક્તો ઉમટ્યા હતા. 73,641 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. 2.47 લાખથી વધુ પ્રસાદ વિતરણ પેકેટની વહેચણી કરવામાં આવી છે. 9 હજાર ચીખી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજે મેળાના ચોથા દિવસે રૂ. 36,21,631 ની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક છે. તેમજ 65,26,394 લાખની પ્રસાદ વિતરણની આવક મળી કુલ 1,01,48,025 રૂપિયાની આવક ટ્રસ્ટને થઇ છે. 200 ગ્રામ સોનાની આવક થઇ છે. આજે 19 હજારથી વધુ દર્દીઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી છે. 6 દિવસના મેળાની ટૂંકી વિગત અહી કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

6 દિવસની કુલ દર્શનાર્થી અને કુલ આવકની વિગત (23થી 28 સપ્ટેમ્બર)
યાત્રિકોની સંખ્યા(અંદાજીત)39,36,,032
ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા2,93,681
પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા15,09,097
ચીકી પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા56,265
ભંડાર ,ધાર્મિક સાહિત્ય કેન્દ્ર સહિતની આવક1,89,82,693
પ્રસાદ વિતરણની આવક3,80,33,278
કુલ આવક5,70,15,971
સોનાની આવક ( ગ્રામ )216 GRM
બસમાં મુસાફરી કરેલ યાત્રાળુઓની સંખ્યા7,39,933
બસની કુલ ટ્રીપો14,345
ઉડનખટોલાના યાત્રાળુઓની સંખ્યા47,233
ધજા રોહણ2,942
સારવાર લીધેલ દર્દીઓની સંખ્યા1,09,312