Bharuch: નર્મદા મૈયા બ્રિજ પર યુવતીનો આપઘાતનો પ્રયાસ, નદીમાં પડતું મૂકે તે પહેલા રિક્ષા ચાલકે પાછળથી પકડી લીધી

નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતના બનાવો અટકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પુલની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવામાં આવી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 21 Aug 2025 09:25 PM (IST)Updated: Thu 21 Aug 2025 09:25 PM (IST)
bharuch-news-woman-attampt-suicide-by-jump-in-river-on-narmada-maiya-bridge-589550
HIGHLIGHTS
  • રિક્ષા ચાલક રાહદારીઓની મદદથી યુવતીને સલામત સ્થળે લઈ ગયો
  • પોલીસે અંતિમ પગલું ભરવા પાછળનું કારણ જાણવા પૂછપરછ કરી

Bharuch: ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે રિક્ષા ચાલકની નજર પડતા અન્ય રાહદારીઓની મદદથી યુવતીને બચાવી લેવામાં આવી હતી.

હકાકતમાં આજે એક પરિણીત યુવતી નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદવા જતી હતી. આ સમયે બ્રિજ પર હાજર રિક્ષા ચાલકની નજર પડતાં રાહદારીઓની મદદથી સમયસર મહિલાને પકડી લીધી હતી. જે બાદ મહિલાને સલામત સ્થળે લઈ જઈ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ ચોકીમાં લઈ ગયો હતો. હાલ તો પોલીસે મહિલાએ ક્યા કારણોસર અંતિમ પગલું ભરવાની ફરજ પડી? તે જાણવા પૂછપરછ હાથ ધરી છે.

જણાવી દઈએ કે, નર્મદા મૈયા બ્રિજ સ્યુસાઈડ પોઈન્ટ બન્યો હોય, તેમ અવારનવાર પુલ પરથી નદીમાં કૂદી આપઘાતના બનાવો બનતા હતા. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બન્ને બાજુ સેફ્ટી નેટ લગાવવામાં આવી છે. આમ છતાં લોકો આપઘાતના પ્રયાસ કરી રહ્યા છે.