Anil Ambani Fraud Case: અનિલ અંબાણીના ઘરે સીબીઆઈના દરોડા, 17000 કરોડના બેંક ફ્રોડ કેસમાં FIR

અનિલ અંબાણી સામે 17,000 કરોડની છેતરપિંડીનો આરોપ છે. CBI દ્વારા આ બેંક છેતરપિંડીના કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sat 23 Aug 2025 12:15 PM (IST)Updated: Sat 23 Aug 2025 12:15 PM (IST)
cbi-raids-rcom-and-anil-ambani-house-in-bank-fraud-case-590424

Anil Ambani Fraud Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર શનિવારે સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી 17000 કરોડના બેંક છેતરપિંડીના મોટા કેસના સંબંધમાં કરવામાં આવી રહી છે, જેમાં અનિલ અંબાણી વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.

Anil Ambani પર શું છે આરોપ

અનિલ અંબાણી સામે 17,000 કરોડની છેતરપિંડીનો આરોપ છે. CBI દ્વારા આ બેંક છેતરપિંડીના કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CBIની ટીમ શનિવારે સવારે સાત વાગ્યાથી RCom અને અનિલ અંબાણીના નિવાસસ્થાન સહિતના સ્થળોએ સર્ચ ઓપરેશન કરી રહી છે. આ દરોડા દરમિયાન અનિલ અંબાણી તેમના પરિવાર સાથે ઘરે હાજર હોવાનું જાણવા મળ્યું છે.