Ahmedabad To Mumbai Vande bharat train: વંદે ભારત ટ્રેનને લઈને વધુ એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે. દેશના વિવિધ ભાગોમાં દોડતી વંદે ભારત હવે વેઇટિંગ ટિકિટની ઝંઝટને દૂર કરવામાં મદદ કરશે. વંદે ભારત ટ્રેન, જે અત્યાર સુધી મોટાભાગે 8 થી 16 કોચ સાથે દોડતી હતી તે હવે 20 કોચ સાથે દોડશે. મુંબઈ-અમદાવાદ રૂટ પર વંદે ભારત ટ્રેનમાં 20 કોચ સાથે ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ ટ્રેન 130 કિમીની ઝડપે પાટા પર દોડતી જોવા મળી હતી. આ ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. આગામી 15મી ઓગસ્ટથી અમદાવાદ-સુરત વચ્ચે મેમુ અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને 'વંદે મેટ્રો' ટ્રેન દોડે તેવી સંભાવના છે.
20 કોચવાળી પ્રથમ વંદે ભારત ટ્રેન
વંદે ભારત ટ્રેનની ટ્રાયલ મુંબઈ અને અમદાવાદ વચ્ચે 20 કોચ સાથે કરવામાં આવી હતી. જો ટ્રેનોમાં કોચની સંખ્યામાં વધારો થશે તો વેઇટિંગ ટિકિટની ઝંઝટનો અંત આવશે. તેમજ વધુ લોકો પણ મુસાફરી કરી શકશે. ટ્રાયલ દરમિયાન ટ્રેનની મહત્તમ સ્પિડ 130 કિમી પ્રતિ કલાક હતી. અમદાવાદથી વડોદરા, સુરત થઈને ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી.
વેઇટિંગ ટિકિટનો અંત આવશે
મુંબઈ અને અમદાવાદ વચ્ચે 16 કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. પરંતુ ટિકિટોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, રેલવેએ આ રૂટ પર 16ને બદલે 20 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. કોચની સંખ્યા વધારવાથી વધુ મુસાફરોને કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરવાની તક મળશે. આ ફોર્મ પર 100 ટકા સાઇફન્સ અને ઓક્યુપન્સીને ધ્યાનમાં રાખીને, રેલવેએ 20 કોચ સાથે વંદે ભારત ચલાવવાનું નક્કી કર્યું છે.
આ રુટ પર બે ટ્રેનો દોડે છે
અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ 1 ઓક્ટોબર 2022ના રોજ ચલાવવામાં આવી હતી. માંગને ધ્યાનમાં રાખીને, 8 માર્ચ 2023 ના રોજ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે બીજી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી હતી. હવે આ રૂટ પર 20 કોચની ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે.
આટલા સમયમાં પહોંચી શકાશે
ટ્રાયલ રન દરમિયાન ટ્રેન અમદાવાદથી સવારે 7 વાગ્યે નીકળી હતી અને બપોરે 12:21 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. હાલમાં દેશભરમાં 102 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. હાલમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે 50 થી વધુ ટ્રેન સેવાઓ છે, જેમાં વંદે ભારત, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોનો સમાવેશ થાય છે.