Gandhi Jayanti 2024: ગાંધી જયંતિના અવસરે લો અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમની મુલાકાત, જતા પહેલા નોંધી લો આ મહત્વની બાબતો

આ ગાંધી જયંતિ (Gandhi Jayanti 2024) પર તમે ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) ની મુલાકાત લઈ શકો છો. અહીં ગાંધીજી સાથે જોડાયેલી ઘણી ખાસ યાદો જોઈ શકાય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 28 Sep 2024 11:13 AM (IST)Updated: Sat 28 Sep 2024 11:13 AM (IST)
gandhi-jayanti-anniversary-2024-visit-sabarmati-ashram-in-ahmedabad-know-entry-fee-timings-history-images-location-403899

Gandhi Jayanti 2024, Sabarmati Ashram in Ahmedabad: દર વર્ષે દેશભરમાં 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ભારતને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આજે આ આર્ટિકલમાં અમે તમને સાબરમતી આશ્રમ વિશે કેટલીક ખાસ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સાબરમતી આશ્રમ વર્ષ 1917 થી 1930 સુધી ગાંધીજીનું ઘર રહ્યું હતું. કેટલાક લોકો આ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ અથવા હરિજન આશ્રમ તરીકે પણ ઓળખે છે. આ આશ્રમમાંથી ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ગુજરાતમાં સાબરમતી આશ્રમનું ઘણું મહત્વ છે.

જો તમે ગાંધી જયંતિના અવસરે સાબરમતી આશ્રમની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને સાબરમતી આશ્રમ સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છે. જાણો.

સાબરમતી આશ્રમને લગતી ખાસ વાતો

  • સાબરમતી આશ્રમમાં એક મ્યુઝિયમ (Museum) છે, જેને ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ કહેવામાં આવે છે.
  • આ મ્યુઝિયમ ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
  • આ સિવાય આશ્રમની અંદર અનેક પ્રકારની ઈમારતો છે. તમામ ઇમારતોના નામ અલગ-અલગ છે.
  • આ તમામ નામો તે લડવૈયાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે જ્યાં તેઓ રહેતા હતા.
  • અહીં એક નંદિની હાઉસ છે, જેમાં વિદેશથી આવતા લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • અહીં આચાર્ય વિનોબા ભાવેએ ઘણો સમય અહીં વિતાવ્યો હતો. તેમના નામ પર અહીં વિનોબા કુટિર છે.
  • અહીં એક ઉપાસના મંદિર છે, જ્યાં ખુલ્લી હવા અને પક્ષીઓનો કિલકિલાટ તમારું મન મોહી લેશે.
  • આ સિવાય મીરા કુટીર, મગન નિવાસ નામની કુટીર પણ જોવા મળશે.

સાબરમતી આશ્રમ ખુલવાનો સમય

  • સાબરમતી આશ્રમ ખુલવાનો સમય - સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી, તે દરરોજ ખુલ્લો રહે છે.
  • નૌકાવિહારનો સમય - ઉનાળામાં સવારે 11:00 થી સાંજે 7:30 વાગ્યા સુધી, શિયાળામાં સવારે 11:00 થી સાંજે 6:30 વાગ્યા સુધી.
  • બોટિંગ ચાર્જ (Boating Charges) - મોટર બોટ માટે વ્યક્તિ દીઠ રૂ. 20, સ્પીડ બોટ અને પોન્ટૂન બોટ માટે વ્યક્તિ દીઠ રૂ. 100.
  • ફ્લાવર પાર્કનો સમય - સવારે 8:30 થી સાંજે 6:30 વાગ્યા સુધી.
  • ફ્લાવર પાર્ક એન્ટ્રી ફી - 5 થી 12 વર્ષની વયના બાળકો માટે 10 રૂપિયા, 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 20 રૂપિયા.

Image Credit- Freepik