Vidhwa Sahay Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચાલુ કરી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલા સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા 1250 રુપિયા જમા કરવામાં આવે છે.
આ યોજનાનો લાભ એક વર્ષ સુધી આપવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓએ ફરીથી લગ્ન કર્યા નથી તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈમાં રજૂ કરવાનું રહે છે. નિરાધાર વિધવા મહિલાઓ સમાજમાં સન્માન સાથે જીવી શકે તે માટે સરકાર દ્વારા આ આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે.
વિધવા પેન્શન યોજના માટે પાત્રતા
- 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઈ પણ વિધવા બહેનો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- વિધવા સહાય માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની આવક 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 નક્કી કરવામાં આવી છે.
- ભારતનો નાગરિક હોવો જોઈએ.
- મહિલાએ ફરીથી લગ્ન ન કર્યા હોવા જોઈએ.
વિધવા પેન્શન યોજના માટે દસ્તાવેજ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- પતિના મરણનો દાખલો
- આવકનો દાખલો
- બેંકની પાસબુક
- પુન:લગ્ન કરેલ નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર
વિધવા પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી
- વિધવા સહાય યોજનાનું ફોર્મ dijital gujarat portal પરથી ઓનલાઈન મળી રહે છે.
- ફોર્મ ભરીને તેના પર તલાટીના સહી સિક્કા કરવામાં આવે છે.
- ત્યારબાદ સામાજિક કલ્યાણ કચેરીએ જઈને તેને યોગ્ય દસ્તાવેજો સાથે આપવાનું રહે છે.