Virat Kohli હવે વનડેમાંથી સંન્યાસ લેશે? જાણો ભારતીય ફાસ્ટ બોલરે તેમની સફેદ દાઢીને લઈને શું કહ્યું

વિરાટ કોહલીની સફેદ દાઢીની તસવીર વાઈરલ થતાં ઘણા લોકોએ એવી અટકળો લગાવી હતી કે કોહલીની ઉંમર થઈ ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં વનડે ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ લેશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 21 Aug 2025 04:07 PM (IST)Updated: Thu 21 Aug 2025 04:07 PM (IST)
navdeep-saini-reacts-to-virat-kohlis-odi-retirement-talks-and-his-grey-beard-look-589327

Navdeep Saini on Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી તાજેતરમાં ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી નિવૃત્ત થયા છે અને હવે તેઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતા જોવા મળશે. હાલમાં જ તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી, જેમાં તેમની દાઢી ગ્રે અને સફેદ દેખાઈ રહી હતી. આ તસવીરને કારણે ઘણા લોકોએ એવી અટકળો લગાવી હતી કે કોહલીની ઉંમર થઈ ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં વનડે ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ લેશે.

વિરાટ કોહલીના સંન્યાસને લઈને શું કહ્યું

આ અટકળો અંગે ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ મોટું નિવેદન આપ્યું છે. સ્પોર્ટ્સ યારી સાથેની એક મુલાકાતમાં સૈનીએ જણાવ્યું કે મને એવું નથી લાગતું. આ સફેદ અને ગ્રે દાઢી કુદરતી બાબત છે. તેનાથી શું ફરક પડી જશે? ખેલાડી તો તેવો જ રહેશે અને મને પૂરો વિશ્વાસ છે કે ભૈયા ચોક્કસપણે આગળ જરુર રમશે.

વિરાટ કોહલીને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે અને તેમની ફેન ફોલોઇંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ઘણી વધારે છે. તેઓ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. તેમના આ પ્રદર્શનને કારણે જ ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી હતી. હવે વિરાટ કોહલી 19 ઓક્ટોબરથી શરૂ થતી ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.