Rajasthan Jhalawar School Collapse: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક સરકારી શાળાની છત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 બાળકોના મોત થયા હતા અને 10 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના મનોહરથાના બ્લોકમાં આવેલા પીપલોદી સરકારી શાળાની છે. સતત વરસાદને કારણે શાળાની છત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના બાદ જાણવા મળ્યું છે કે શાળા જર્જરિત ઇમારતોની યાદીમાં ન હતી.
શાળા જર્જરિત ઇમારતોની યાદીમાં ન હતી
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ શાળા શિક્ષણ વિભાગને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે જે શાળાઓ જર્જરિત હાલતમાં છે ત્યાં કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે નહીં. આ દરમિયાન કલેક્ટરે જણાવ્યું કે જે શાળા ધરાશાયી થઈ છે તે જર્જરિત ઇમારતોની યાદીમાં ન હતી અને ન તો અહીંના બાળકોને રજા આપવામાં આવી હતી.
છત પડતા પહેલા કાંકરા ખરી રહ્યા હતા
બાળકોએ જણાવ્યું કે છત પડતા પહેલા સિમેન્ટ ખરી રહ્યું હતું અને કાંકરા પડી રહ્યા હતા. બાળકોએ બહાર ઉભેલા શિક્ષકોને આ અંગે જાણ કરી હતી, જોકે તેમની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી. આનાથી અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે માત્ર વિદ્યાર્થીઓ જ ક્લાસરૂમમાં હતા અને શિક્ષકો બધા બહાર હતા.
#WATCH | Rajasthan | On the Jhalawar school roof collapse, two students of the school say, "While we were sitting inside the classroom, stones started falling from the roof. Immediately, we informed our teacher, but what we said was ignored. Later, the roof collapsed." pic.twitter.com/nXlVRkGHKD
— ANI (@ANI) July 25, 2025
શિક્ષણ વિભાગે 5 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા
શાળા તૂટી પડવાના ખૂબ જ સંવેદનશીલ કેસમાં શિક્ષણ વિભાગે શાળાના મુખ્ય શિક્ષક મીના ગર્ગ, શિક્ષકો જાવેદ અહેમદ, રામવિલાસ લવવંશી, કન્હૈયાલાલ સુમન, બદ્રીલાલ લોઢાને સસ્પેન્ડ કર્યા છે.
હોસ્પિટલની બહાર વાલીઓની લાંબી કતારો
આ દુર્ઘટનામાં ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગના બાળકો બેભાન અવસ્થામાં છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે અને કેટલાકને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. ગંભીર રીતે ઘાયલ બાળકોને ઝાલાવાડની જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઘણા માતા-પિતા પોતાના બાળકોને લઈને રડતા જોવા મળ્યા હતા. હોસ્પિટલની બહાર વાલીઓની લાંબી કતારો લાગી છે.
इस घटना को देखकर लगता है आम आदमी को सपने देखना भी बंद करना पड़ेगा। क्योंकि प्राइवेट स्कूलों में इतनी महंगी फीस भरी नहीं जाती, सरकारी स्कूल में बच्चों को खोने का डर है तो आम आदमी के बच्चे पढ़ेंगे कहा..? 😏😌#झालावाड़ #Jhalawar#JhalawarTragedy pic.twitter.com/jHKgdqjIV6
— DIL MOHAN MEENA (@DilMohan768989) July 25, 2025
આ દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે ઝાલાવાડના પીપલોદીમાં શાળાની છત ધરાશાયી થવાથી થયેલો દર્દનાક અકસ્માત અત્યંત દુઃખદ છે. ઈજાગ્રસ્ત બાળકોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.