Jaswinder Bhalla Death: પંજાબના જાણીતા કોમેડિયન અને અભિનેતા જસવિંદર ભલ્લાનું નિધન, 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

જસવિંદર ભલ્લાએ શુક્રવારે વહેલી સવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ મોહાલીમાં કરવામાં આવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 22 Aug 2025 09:10 AM (IST)Updated: Fri 22 Aug 2025 09:10 AM (IST)
punjabi-comedian-and-actor-jaswinder-bhalla-passes-away-589693

Jaswinder Bhalla Passes Away: પંજાબના જાણીતા કોમેડિયન અને અભિનેતા જસવિંદર ભલ્લાનું 65 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી પંજાબી સિનેમા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જસવિંદર ભલ્લાના મોહાલીમાં થશે અંતિમ સંસ્કાર

જસવિંદર ભલ્લાએ શુક્રવારે વહેલી સવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ મોહાલીમાં કરવામાં આવશે. તેમણે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમણે પોતાની કોમેડીથી લાખો દિલો પર રાજ કર્યું અને લોકોને ખૂબ હસાવ્યા.

જસવિંદર ભલ્લા ફિલ્મી કરિયર

જસવિંદર ભલ્લાએ તેમના 27 વર્ષના કરિયરમાં લોકોનું ખૂબ મનોરંજન કર્યું. પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં તેમનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેમનો જન્મ 4 મે 1960 ના રોજ લુધિયાણામાં થયો હતો. તેમના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. 1998માં તેમણે ફિલ્મ દુલ્લા ભાટીથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સરદાર જી, જિન્ને મેરા દિલ લુટિયા, જટ્ટ એન્ડ જુલિયટ, પાવર કટ, કેરી ઓન જટ્ટા, સરદાર જી, મુંડે કમાલ દે, કિટ્ટી પાર્ટી અને કેરી ઓન જટ્ટા 3 જેવી ફિલ્મો કરી. તેમણે દિલજીત દોસાંઝ જેવા મોટા સ્ટાર્સ સાથે ઘણી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.