Adani Centre for Eye in Bihar: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ‘સેવા હી સાધના હૈ’ મંત્રથી પ્રેરિત થઈને બિહારના પવિત્ર યાત્રાધામ મસ્તીચક ખાતે 150 કરોડ રૂપિયાની વિશાળ નેત્ર સ્વાસ્થ્ય સેવાનો પાયો નાખ્યો છે. આ પહેલના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં રાહત દરે આંખોની ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે.
અદાણી ફાઉન્ડેશનની નેત્ર ચિકિત્સા પહેલ
અદાણી ફાઉન્ડેશન દ્વારા અખંડ જ્યોતિ આઇ હોસ્પિટલના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ 150 કરોડ રૂપિયાના ભંડોળમાંથી મસ્તીચકમાં 'અદાણી સેન્ટર ફોર આઇ' (ACE) અને 'અદાણી ટ્રેનિંગ ઇન ઓપ્થેલ્મિક મેડિસિન' (ATOM) ની સ્થાપના કરવામાં આવશે.
ACE-ATOM દ્વારા આંખની સસ્તી સારવાર
- ACE - Adani Centre for Eye Diseases
અદાણી સેન્ટર ફોર આઇ ડિસીઝ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને સુલભ અને સસ્તી આંખની સારવાર પૂરી પાડવાનો છે.
- ATOM - Adani Training Centre for Ophthalmic Medicine
ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદાણી ટ્રેનિંગ સેન્ટર ફોર ઑપ્થેલ્મિક મેડિસિન પ્રોજેક્ટ દ્વારા આંખના નિષ્ણાતો અને મહિલા સ્વાસ્થ્ય કર્મીઓની એક નવી પેઢી તૈયાર કરવામાં આવશે.
દર વર્ષે 3.3 લાખ આંખની સર્જરી થશે
આ પહેલથી દર વર્ષે અંદાજે 3.3 લાખ આંખની સર્જરી શક્ય બનશે. આ ઉપરાંત દર વર્ષે આંખની સંભાળ ક્ષેત્રના 1,000 હેલ્થ પ્રોફેશનલ્સને વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ સાથે બિહારના દૂરદરાજના ગામડાઓ સુધી પહોંચવા માટે 10 નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી.
દેશભર માટે રૂ. 500 કરોડની પ્રતિબદ્ધતા
બિહારમાં આ પ્રોજેક્ટના ભૂમિપૂજન ઉપરાંત, ગૌતમ અદાણીએ અખંડ જ્યોતિ આઇ હોસ્પિટલની સેવાઓને દેશભરના વંચિત સમુદાયો સુધી પહોંચાડવા માટે વધુ 500 કરોડ રૂપિયાની વ્યક્તિગત પ્રતિબદ્ધતા જાહેર કરી છે. 'અદાણી અખંડ જ્યોતિ ફાઉન્ડેશન' દ્વારા તમામ નેત્ર ચિકિત્સા પહેલ પાછળ કુલ મળીને 700 કરોડ રૂપિયાથી વધુનું જંગી રોકાણ કરવામાં આવશે.
"માનવતા માટે મહાસેવા": ગૌતમ અદાણી
આ પ્રસંગે ગૌતમ અદાણીએ મસ્તીચકની ગાયત્રી શક્તિપીઠમાં દર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે, "કોઈ વ્યક્તિની આંખોની રોશની પાછી લાવવી એ માત્ર સારવાર નથી. આ તેમના જીવનમાં ફરીથી આશા, આત્મવિશ્વાસ અને સન્માન પરત લાવવાનું પુણ્ય કામ છે. માનવતા માટે આનાથી મોટી સેવા કદાચ બીજી કોઈ હોઈ શકે નહીં."
आज बिहार की पवित्र धरती मस्तीचक आकर मन गर्व, भावनाओं और आत्मीयता से भर गया।
— Gautam Adani (@gautam_adani) May 17, 2026
गायत्री शक्तिपीठ पहुँचकर एक अलग ऊर्जा और आध्यात्मिक प्रेरणा का अनुभव हुआ।
किसी व्यक्ति की आँखों की रोशनी लौटाना केवल इलाज नहीं होता…
यह उसके जीवन में फिर से उम्मीद, आत्मविश्वास और सम्मान लौटाने का… pic.twitter.com/Jl5GzFNsAK
આ નેત્ર ચિકિત્સા પહેલ બિહાર પ્રત્યે અદાણી ગ્રુપની સતત વધતી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ કાર્યક્રમમાં તેમની સાથે અદાણી ફાઉન્ડેશનનાં ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી અને અખંડ જ્યોતિ આઇ હોસ્પિટલના CEO મૃત્યુંજય તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
બિહારમાં રૂ. 40,000 કરોડનું ઐતિહાસિક રોકાણ
અદાણી ગ્રુપ બિહારના સૌથી મોટા ખાનગી રોકાણકારોમાંનું એક છે, જેનું કુલ રોકાણ આશરે 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ રોકાણમાં ભાગલપુરના પીરપૈંતી ખાતે 27,000 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો 2,400 મેગાવોટનો અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સામેલ છે. આ ઉપરાંત, અદાણી ગ્રુપ દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન અને સિમેન્ટના કારખાનાઓમાં પણ રોકાણ કરવામાં આવી રહ્યું છે.
