What Is Blood Pressure: આજકાલની વ્યસ્ત લાઈફટાઈમમાં ગંભીર સમસ્યા એવી બ્લડ પ્રેશર સામાન્ય બની ગઈ છે. ભારતમાં 20 કરોડથી વધુ લોકો બીપીથી પરેશાન છે. ત્યારે જાણો બીપીના કારણો, લક્ષણો અને સારવાર.
શું છે બ્લડ પ્રેશર? (What Is BP In Gujarati)
- બ્લડ પ્રેશર (BP) બે પ્રકારના હોય છે, હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર.
- બીપી એક એવી સમસ્યા છે જે ઓછું થવા પર પણ સમસ્યામાં વધારો કરે છે અને વધવા પર પણ ચિંતાનો વિષય છે.
- જ્યારે વ્યક્તિનું બીપી વધી જાય છે, ત્યારે હૃદયના લોહીને પંપ કરવા માટે ખૂબ જ બળ લગાવવું પડે છે, આ સ્થિતિમાં વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે અને ક્યારેક શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
- સામાન્ય બીપી 120/80 હોય છે, પરંતુ જ્યારે તે વધીને 180/110 અને તેનાથી પણ વધુ થાય છે, ત્યારે તાત્કાલિક સારવાર જરૂરી છે.
આ પણ વાંચો
બીપીના કારણો (Reasons Of BP)
- એક રિપોર્ટ અનુસાર, 90 ટકા કેસમાં બીપીનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ રોગનું મુખ્ય કારણ આનુવંશિક છે.
- જે લોકો બીપીના લક્ષણોને નજરઅંદાજ કરે છે, તેમને સમય જતાં આ સમસ્યા ઘાતક બની જાય છે.
- રિસર્ચ મુજબ મહિલાઓમાં બીપીની ફરિયાદ વધુ જોવા મળી છે.
- આ સિવાય મેદસ્વિતા અને વધુ પડતું વજન વધવું, સોડિયમનું પ્રમાણ વધુ હોવું, વધુ પડતું આલ્કોહોલનું સેવન કરવું, કોઈપણ પ્રકારની શારીરિક એક્ટિવિટી ન કરવી પણ બ્લડપ્રેશરનું જોખમ રહેલું છે.
બીપીના લક્ષણો (Symptoms Of BP)
સામાન્ય રીતે બીપી (BP)ના દર્દીઓમાં નીચેના લક્ષણો જોવા મળે છે.
- થાક અનુભવવી અને શરીરમાં ભારેપણાની લાગણી
- શ્વાસ લેવામાં તકલીફ થવી અને ગુસ્સા પર કાબૂ ન રાખવો
- ચક્કર આવવા અથવા માથું ફરવું
- આંખો સામે અંધકાર છવાઈ ગયો
- હાથ-પગ ઠંડા થઈ જવા
- વધુ તકલીફ થવા પર ચહેરો નિસ્તેજ થઈ જવો
- ઉબકા આવવા કે ઘબરામણ થવી
આ પણ વાંચો - Low BP Symptoms in Gujarati: ખતરનાક સાબિત થઈ શકે છે લો બીપી, જાણો તેના લક્ષણો, કારણ અને બચાવની રીત
બીપી (BP) માટે ઘરગથ્થુ ઉપચાર
લીંબુ
દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધો લીંબુ નીચોવીને ખાલી પેટ તેનું સેવન કરો. તેનાથી બીપી કંટ્રોલમાં આવે છે અને વજન વધવાથી પણ રાહત મળે છે.
મેથી અને અજવાઈન
હાઈ બીપીની સમસ્યામાં મેથી અને અજવાઈન ફાયદાકારક છે. આ માટે એક ચમચી મેથી અને અજવાઈન પાઉડરને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દો, અને રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
ગ્રીન ટી
દરરોદ ગ્રીન ટીનું સેવન કરવાથી હાયપરટેન્શનનું જોખમ ઘણી હદ સુધી ઓછું થાય છે. ગ્રીન ટીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ વ્યક્તિને ઘણી બીમારીઓથી દૂર રાખે છે.
ત્રિફળા
હાઈ બીપીના દર્દીઓ માટે ત્રિફળાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે, આ માટે 20 ગ્રામ ત્રિફળાને આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે આ પાણીને ગાળીને તેમાં 2-3 ચમચી મધ ઉમેરીને પીવાથી બીપીની સમસ્યાથી આરામ મળે છે.
લવંડર
બીપીના દર્દીઓ માટે લવંડર ખૂબ જ ફાયદાકારક છે. લવંડરની તાસીર ઠંડી હોવાથી તે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા લવંડરની ચા પીવો.
આ સિવાય લાઈફસ્ટાઈલમાં બદલાવ કરીને પણ બીપીની બીમારીથી બચી શકાય છે. જો કે, જો તમને બીપીના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
