Pradhan Mantri Awas Yojana 2026 in Shilalj Bopal: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મેળવવા ઈચ્છતા લોકો પાસેથી અરજીઓ હાલ મંગાવવામાં આવી છે. આ તમામ ઘર 1BHK હશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનામાં અમદાવાદમાં 11 જગ્યાએ કુલ 7825 ઘર લોકોને ફાળવવામાં આવશે. (ફોર્મ ભરવામાં આ ભૂલો ન કરશો) તો શીલજ બોપલમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનવાના છે. તો આવો જાણીએ કે ક્યાં બનશે અને કેવા બનશે આ ઘર.
શીલજ-બાપલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર ક્યાં બનવાના છે?
શીલજ-બાપલમાં બે જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર બનશે.
1). ટી.પી.216, શીલજ એફ.પી.3, નિસર્ગ ડ્રીમની સામે, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ). ગુગલ મેપ દ્વારા આ જગ્યા વિશે જાણો.
2) ટી.પી.216, શીલજ એફ.પી.25, શીલજ, કાવેરી સોહમ ફ્લેટની પાસે, નિસર્ગ ડ્રીમથી આગળ, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ), અમદાવાદ. ગુગલ મેપ દ્વારા આ જગ્યા વિશે જાણો.
ઘરની ડિઝાઈન કેવી હશે. જગ્યા કેટલી હશે. સોસાયટીની ડિઝાઈન અને કેટલા બિલ્ડિંગ હશે તે દરેક સવાલ અરજી કરનારને થતો હોય છે. તો દરેક વાતને આ તસવીર દ્વારા સરળતાથી સમજો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર શીલજ-બોપલમાં નિસર્ગ ડ્રીમની સામે બનશે તેના વિશે વિગતવાર જુઓ
પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર શીલજ-બોપલમાં કાવેરી સોહમ ફ્લેટ પાસે બનશે તેના વિશે જાણો
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવામાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાા હોય છે?
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ઓળખ પુરાવો
- આધાર કાર્ડ નકલ
- રહેઠાણ માટેનો પુરાવો (ભાડા કરાર, લાઈટબીલ વગેરે)
- કેન્સલ ચેક
- સોગંદ નામા નકલ
- દિવ્યાંગ અરજદારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
- ફોટો
- સહી.
જાહેરાતની વિગત તથા ફોર્મ અમ.મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર ઉપલબ્ધ રહેશે. આ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.19/06/2026 રહેશે. ત્યારબાદ કોઇપણ એનલાઇન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહીં.
પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત અપડેટ માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો. જો તમને આ વાત ગમી હોય તો જેમને ખરેખર ઘરની જરૂર છે તેઓને ફોરવર્ડ કરો.
