ICC T20 World Cup 2026: ઈંગ્લેન્ડ સામે સેમી ફાઈનલ પૂર્વે ભારતીય ખેલાડીઓ સિદ્ધિ વિનાયકના શરણે, જીત માટે બાપ્પાને પ્રાર્થના કરી

અગાઉ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સુપર-8ની મેચ પૂર્વે પણ ભારતીય ખેલાડીઓ કોલકાતાના કાલી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Mar 2026 05:10 PM (IST)Updated: Wed, 04 Mar 2026 05:10 PM (IST)
team-india-players-visit-siddhivinayak-temple-ahead-of-icc-t20-world-cup-2026-semi-final-at-wankhede-stadium
HIGHLIGHTS
  • ઈશાન કિશન, અભિષેક શર્મા અને અક્ષર પટેલ ભક્તિમાં લીન

ICC T20 વર્લ્ડકપ 2026ની બીજી સેમી ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે, જેમાં ભારત અને ઈન્ડિયા વચ્ચે ખરાખરીનો મુકાબલો થશે. જો કે સેમીફાઈનલ મેચ પૂર્વે ભારતીય ખેલાડીઓ ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છે. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં ટીમ ઈન્ડિયાના ઈશાન કિશન, અક્ષર પટેલ અને અભિષેક શર્મા સહિતના ખેલાડીઓ મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ત્રણેય ખેલાડીઓએ ગણપતિ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ હવે આવતીકાલે ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડનો સામનો કરવા મેદાનમાં ઉતરશે.

અગાઉ T20 વર્લ્ડકપની સુપર-8 મેચ પૂર્વે પણ ભારતીય ખેલાડીઓ કોલકાતા સ્થિત કાલીઘાટના કાલી મંદિર ગયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાએ સુપર-8માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ભારતીય ટીમ સતત ત્રીજી વાર સેમીફાઈનલમાં પહોંચી છે.

અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા કુલ 6 વખત T20 વર્લ્ડકપની સેમી ફાઈનલ રમી ચૂકી છે. જેમાં 2007, 2014, 2016, 2022, 2024 અને હવે 2026માં સેમી ફાઈનલ રમશે.