Dhanteras Kuber Puja: હિન્દુ ધર્મમાં કુબેરને ધનના દેવતા અને યક્ષોના રાજા સ્વરૂપે પૂજવામાં આવે છે. કુબેર દેવતાને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જેના પર કુબેર દેવતાની કૃપા હોય, તેના ઘરમાં આર્થિક તંગી ક્યારેય નથી આવતી.
કુબેર ભગવાન શિવના પરમ ભક્ત છે અને નવ નિધિઓના આધિપતિ પણ મનાય છે. કુબેરની પૂજા કરવાથી માત્ર ધનમાં વૃદ્ધિ જ નથી થતી, પરંતુ તેમના આશીર્વાદથી સમૃદ્ધિ અને વૈભવ પણ પ્રાપ્ત થાય છે.
કોણ છે કુબેર (God Of Wealth)
આ પણ વાંચો
પૌરાણિક માન્યતા મુજબ, કુબેર લંકાપતિ રાવણના સાવકા ભાઈ હતા. તેમના પિતા મહર્ષિ વિશ્વવા અને માતા દેવવર્ણિણી હતા. કુબેર દેવને ઉત્તર દિશાના દિકપાલ તથા દુનિયાના રક્ષક (લોકપાલ) રૂપે સમ્માનિત કરવામાં આવે છે. કુબેરને દેવતાઓના ધનના ખજાનચી બનાવવામાં આવ્યા હતા.
કેવી રીતે કુબેરને પ્રસન્ન કરશો? (Hindu God of Wealth)
કુબેરને પ્રસન્ન કરવા માટે તેમની નિયમિત પૂજા અર્ચના કરવી જરૂરી છે. ખાસ કરીને દિવાળી પહેલા આવતા ધનતેરસના દિવસે લક્ષ્મી માતા સાથે કુબેર ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. કુબેરનું નિવાસ વટ-વૃક્ષમાં માનવામાં આવે છે. આથી આ વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.
ક્યાં રાખશો મૂર્તિની પૂજા (Kuber Na Upay)
વાસ્તુ અનુસાર, ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે. કુબેરની મૂર્તિને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ અને તેમનું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ. મૂર્તિની જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. કુબેર ભગવાનને પીળા રંગની વસ્તુઓ વધારે પ્રિય છે.
કુબેરનો છોડ અને કાચબો (Kuber Plant)
ક્રાસુલાના છોડને ગુજરાતીમાં કુબેરાક્ષી છોડ પણ કહેવામાં આવે છે, જે ભગવાન કુબેરનો પસંદગીનો છોડ છે. આ છોડને યોગ્ય દિશામાં રાખવાથી ધનની વર્ષાના યોગ બને છે. આ સિવાય ધાતુના કાચબાને રાખવાથી પરિવારની આવકમાં વૃદ્ધિ થાય છે. જો કે એક વાત યાદ રાખજો કે, તેને હંમેશા ઉત્તર દિશામાં જ રાખવા જોઈએ. આ ઉપરાંત તિજોરીનો દરવાજો ઉત્તર દિશામાં હોવો જોઈએ. જેનાથી ધનનો પ્રવાહ વધે છે.
કુબેર દેવનો મંત્ર (Kuber Mantra)
કુબેર દેવના 108 નામોનો જાપ કરવાથી આર્થિક સંકટોમાંથી મુક્તિ મળે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ॐ लक्ष्मी कुबेराय नमः, ॐ श्रीं ह्रीं क्लीं वित्तेश्वराय नमः મંત્રનો જાપ કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. વટ વૃક્ષ પર જળ અર્પણ કરવાને કુબેરની કૃપા પ્રાપ્ત કરવાનો એક શુભ ઉપાય માનવામાં આવે છે.
