ADR Report: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર દેશના કુલ 643 મંત્રીઓમાંથી 302 મંત્રીઓ એટલે કે લગભગ 47 ટકા મંત્રીઓ પર ફોજદારી કેસ નોંધાયેલા છે. આ કેસોમાં હત્યા, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના અપરાધ જેવા ગંભીર આરોપોનો પણ સમાવેશ થાય છે. વધુમાં 302 મંત્રીઓમાંથી 174 મંત્રીઓ ગંભીર ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે.
ADR નો રિપોર્ટ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા એક વિધેયક પછી આવ્યો છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે જો કોઈ મંત્રી, વડાપ્રધાન કે મુખ્યમંત્રી સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલો હોય કે જેમાં પાંચ વર્ષ કે તેથી વધુની સજા થઈ શકે અને સતત ત્રીસ દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોય તો આવા મંત્રીઓને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ.
પક્ષ મુજબ ક્રિમિનલ કેસોની સ્થિતિ
ભાજપ: ભાજપના 336 મંત્રીઓમાંથી 136 મંત્રીઓએ (40%) તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જેમાંથી 88 મંત્રીઓ પર ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો
કોંગ્રેસ: કોંગ્રેસના 45 મંત્રીઓ પર ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 18 મંત્રીઓ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.
તેલુગુ દેશમ પાર્ટી (TDP): આ પાર્ટીના 23 મંત્રીઓમાંથી 22 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 13 મંત્રીઓ પર ગંભીર મામલાઓનો આરોપ છે. સૌથી વધુ ફોજદારી કેસ TDPના મંત્રીઓ સામે નોંધાયેલા છે.
DMK: DMKના 31 મંત્રીઓમાંથી 27 પર ફોજદારી આરોપો છે, જ્યારે 14 મંત્રીઓ પર ગંભીર કેસ નોંધાયેલા છે.
આમ આદમી પાર્ટી (AAP): અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના 16 મંત્રીઓમાંથી 11 મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 5 મંત્રીઓ પર ગંભીર આરોપો લાગેલા છે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC): મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના 40 મંત્રીઓમાંથી 13 મંત્રીઓ પર ફોજદારી કેસ નોંધાયેલા છે, જેમાંથી 8 મંત્રીઓ ગંભીર ફોજદારી મામલાઓનો સામનો કરી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીઓ: રાષ્ટ્રીય સ્તરે 72 કેન્દ્રીય મંત્રીઓમાંથી 29 મંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
રાજ્યવાર સ્થિતિ
60% થી વધુ કેસવાળા રાજ્યો
આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને પુડુચેરીના 60% થી વધુ મંત્રીઓ સામે અનેક ફોજદારી કેસ નોંધાયેલા છે.
કોઈ કેસ ન હોય તેવા રાજ્યો
આનાથી વિપરીત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના મંત્રીઓએ તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલો ન હોવાની માહિતી આપી છે.
મંત્રીઓની સંપત્તિની વિગતો
ADR ના રિપોર્ટમાં મંત્રીઓની આર્થિક સ્થિતિ પર પણ રજૂ કરાઈ છે. તમામ 643 મંત્રીઓની સરેરાશ સંપત્તિ 37.21 કરોડ રૂપિયા છે.
અબજોપતિ મંત્રીઓ
કર્ણાટકમાં સૌથી વધુ અબજોપતિ મંત્રીઓ છે. કેન્દ્ર સરકારના 72 કેન્દ્રીય મંત્રીઓમાંથી 6 મંત્રીઓ અબજોપતિ છે.
પક્ષ મુજબ અબજોપતિ
સૌથી વધુ અબજોપતિ નેતાઓ ભાજપ પક્ષમાંથી છે, જેમની સંખ્યા 14 છે. કોંગ્રેસ 61 મંત્રીઓમાંથી 11 અબજોપતિ મંત્રીઓ સાથે બીજા સ્થાને છે.
સૌથી ધનિક મંત્રી
દેશના સૌથી ધનિક મંત્રી TDP નેતા અને આંધ્ર પ્રદેશના ગુંટુરથી સાંસદ ડો. ચંદ્રશેખર પેમ્માસાની છે, જેમની પાસે 5 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
બીજા સૌથી ધનિક
કર્ણાટક કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર બીજા સ્થાને છે, જેમની પાસે લગભગ 1400 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
સૌથી ઓછી સંપત્તિ
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી ઇન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાના નેતા શુક્લા ચરણ નોતિયા છે, જેમની પાસે માત્ર 2 લાખ રૂપિયાની સંપત્તિ છે.