Parenting Tips: શિયાળામાં દવાની જેમ કામ કરે છે આ સૂપ, બાળકોને પીવડાવવાથી બીમારીઓ રહેશે દૂર

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 05 Jan 2024 04:00 AM (IST)Updated: Fri 05 Jan 2024 04:00 AM (IST)
parenting-tips-in-gujarati-soups-for-children-immunity-261022

માતા-પિતા હંમેશા તેમના બાળકના ખાવા-પિવાને લઈને ચિંતિત રહે છે કારણ કે માત્ર સારા આહારની મદદથી જ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. સાથે જ બીમારીઓ સામે લડવામાં પણ મદદ મળે છે. શિયાળાની ઋતુમાં માતા-પિતા પોતાના બાળકોને એવી વસ્તુઓ આપવા માંગે છે, જે સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય. સાથે જ તે શિયાળામાં તે બાળકોના શરીરને ગરમ પણ રાખી શકે. શિયાળાની ઋતુમાં ગરમાગરમ સૂપ પીવાના ઘણા ફાયદા છે. આમ તો બજારમાં અનેક ઘણા પ્રકારના સૂપના પેકેટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તેને સાચવવા માટે અનેક પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી બાળકોને આ સૂપ પિવડાવવાથી તેમના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. જો તમે ઘરે જ વિવિધ પ્રકારના શાકભાજીની મદદથી બાળકો માટે સૂપ બનાવશો તો તે વધુ સારું રહેશે. આ સૂપ તેમના સ્વાસ્થ્ય માટે સારા અને સ્વાદથી ભરપૂર પણ હોય છે. આજે અમે તમને કેટલાક એવા જ ખાસ વિન્ટર સૂપની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમારે બાળકોના આહારમાં જરુર સામેલ કરવા જોઈએ.

મશરૂમ સૂપ
મશરૂમમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે. તેને બનાવવા માટે મશરૂમના નાના-નાના ટુકડાને પાણીમાં નાખીને ઉકાળો. તેમાં દૂધ નાખીને થોડીવાર સુધી પકાવો. આ પછી તેને ગરમાગરમ બાળકોને સર્વ કરો.

બ્રોકોલી અને બીન સૂપ
શિયાળામાં બાળકોને શરદી અને ઉધરસ થવાનો ખતરો રહે છે. તેનાથી બાળકોને બચાવવા માટે તમે બ્રોકોલી અને બીન્સનું સૂપ આપી શકો છે. તેમાં છોડું દૂધ અને કોર્નફ્લોર નાખીને સૂપને ઘટ્ટ બનાવીને આપો.

ટામેટા-તુલસી સૂપ
તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો તમારા બાળકને શરદી-ઉધરસ છે તો આ સૂપ પીધા પછી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે.

મિક્સ વેજીટેબલ સૂપ
આ સૂપમાં શાકભાજીને સારી રીતે મિક્સ કરો. પછી તેમાં પાણી નાખીને થોડીવાર માટે પકાવો ત્યારબાદ તેમાં મીઠું અને કાળામરી ઉમેરીને બાળકોને આપો.

આદુ-લસણનું સૂપ
શરદી-ઉધરસથી છુટકારો મેળવવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આદુ અને લસણનું સૂપ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરદીને મટાડે છે.

પાલકનું સૂપ
તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો શરદી-ઉધરસથી છુટકારો અપાવવામાં અને આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.