Surat: પુત્રી જન્મીના બીજા જ દિવસે પિતા બ્રેઈન ડેડ, ધૂળેટીએ અંગદાન થકી 5 લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભર્યાં

10 માર્ચે 40 વર્ષીય હાર્દિક શેલત મોર્નિંગ વૉક કરીને આવ્યા બાદ બાથરૂમમાં ન્હાવા ગયા હતા. જો કે બહાર ના આવતા પ્રેગ્નેન્ટ પત્નીએ જોતા પતિ બેભાન પડ્યા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 15 Mar 2025 05:15 PM (IST)Updated: Sat, 15 Mar 2025 05:15 PM (IST)
surat-news-braindead-father-give-new-life-of-5-due-to-organ-donation
HIGHLIGHTS
  • મેડિકલ કારણોસર ફેફસા અને કિડનીનું દાન ના થઈ શક્યું

Surat: રંગોના તહેવાર ધૂળેટીના દિવસે આણંદથી વિવિધ અંગોનું દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જન્મેલી પોતાની દીકરીનું મોઢું નહી જોઈ શકેલો પિતા પાંચ વ્યક્તિઓના જીવનમાં ખુશીના રંગો ભરી ઉજાશ પાથરી ગયા છે. હકીકતમાં બાજખેડાવાડ બ્રાહ્મણ સમાજના બ્રેઈનડેડ હાર્દિકભાઈ નવીનચંદ્ર શેલત (40) ના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, શેલત પરિવારે ડોનેટ લાઈફના સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ખુશીના રંગો પૂર્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ સ્થિત બંસરી પાવન ફ્લૅટની સામે યતકૃપા રેસીડન્સી ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને 100 ફૂટ રોડ નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલની સામે પ્રોવિઝન સ્ટોર ચલાવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા 40 વર્ષીય હાર્દિકભાઈ નવીનચંદ્ર શેલત સોમવાર તા. 10 માર્ચના રોજ મોર્નિગ વોક કરીને આવ્યા બાદ નાસ્તો કર્યા પછી સ્નાન કરવા માટે ગયા હતા. જ્યાં અડધો કલાક પછી પણ તે બાથરૂમમાંથી બહાર નહીં આવતા તેની ગર્ભવતી પત્નીએ બાથરૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલી ગયો અને જોયું તો હાર્દિકભાઈ બેભાન અવસ્થામાં હતા.

આથી પરિવારજનોએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેઓને દાખલ કરી, સારવાર શરુ કરવામાં આવી અને નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા. 13 માર્ચ ના રોજ ન્યુરોસર્જન ડૉ. સચિન પટેલ, ન્યુરોફીઝીશિયન ડૉ. હિમાંશુ પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી, મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પટેલ અને ફિઝીશિયન ડૉ. પાર્થ શાહે હાર્દિકભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

આયરીશ હોસ્પિટલના ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા નો ટેલીફોનીક સંપર્ક કરી હાર્દિકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફ આણંદની ટીમના નિખિલ શાસ્ત્રી, નીશીલ પટેલે (પપ્પુભાઈ) હોસ્પિટલ પહોંચી હાર્દિકભાઈના પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન, તેમજ શેલત પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. જો કે અંગદાન અંગે કાયદાકીય રીતે હાર્દિકની પત્ની નીમાની સંમતિ લેવી જરૂરી હતી.