Rajkot: ભિક્ષુકોને હેરાન કરતાં યુવકની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, હત્યારા મિત્રને ઘટના સ્થળે લઈ જતાં બે હાથ જોડી માફી માંગી

ધાર્મિક મજાક-મસ્તીમાં ફૂટપાથ પર સૂઈ રહેલા ભિક્ષુકોના બ્લેન્કેટ ખેંચી લીધા હતા. એક ભિક્ષુકના ખિસ્સામાંથી પૈસા પણ કાઢ્યા હતા. મિત્રો સમજાવવા છતાં તે માનતો જ નહતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Dec 2025 10:49 PM (IST)Updated: Wed, 10 Dec 2025 10:49 PM (IST)
rajkot-news-jawahar-road-tea-stall-murder-case-accused-friend-reconstruction
HIGHLIGHTS
  • જવાહર રોડ પરના ટી સ્ટોલ નજીક હત્યા થઈ હતી
  • મૃતકની આવતા મહિને સગાઈ થવાની હતી

Rajkot: રાજકોટમાં દિવાળીના તહેવારોથી શરૂ થયેલો હત્યાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ગઈકાલે રાત્રે જવાહર રોડ પર ભિક્ષુકોને હેરાન કરતાં ધાર્મિક ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.18, રહે. ઠક્કરબાપા વિસ્તાર, ડો. યાજ્ઞિાક રોડ નજીક)ને ખુદ તેના મિત્ર રીક્ષા ચાલક મયુર કિશોરભાઈ લઢેર (ઉ.વ.24, રહે. પેડક રોડ, આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર)એ છરીનો એક ઘા ઝીંકી પતાવી દીધો હતો. એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આરોપી મયુરની ધરપકડ કરી હતી. આ ઘટનામાં આરોપીને પકડી આજે ઘટના સ્થળે લઇ જઇ રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આરોપીએ બે હાથ જોડી માફી માગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હત્યાનો ભોગ બનનાર ધાર્મિક ડો. યાજ્ઞિક રોડ પર કપડાના શો-રૂમમાં નોકરી કરતો હતો અને બે ભાઇમાં મોટો હતો. આવતા મહિને ધાર્મિકની સગાઇ થવાની હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે, રાહુલ જગદીશભાઈ વાઘેલાનો ગઇકાલે જન્મદિવસ હતો. જેની ઉજવણીમાં ધાર્મિક, તેના બે મિત્રો યુગ દીપકભાઈ વાઘેલા અને જયદીપ ભરતભાઈ શીંગાળા સહિતના પણ સામેલ થયા હતા. જન્મદિવસની ઉજવણી બાદ રાહુલ સિવાયના ત્રણેય મિત્રો જવાહર રોડ પરની મોમાઇ ટી સ્ટોલે ચા પીવા આવ્યા હતા.

જ્યાં ગમે તે થતાં ધાર્મિકે ફૂટપાથ પર સૂતેલા ભિક્ષુકોને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આ બધું તે મસ્તીમાં કરતો હતો. તેની સાથે રહેલા બે મિત્રો યુગ અને જયદીપે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નહીં સમજતાં યુગે બીજા મિત્રોને ફોન કર્યો હતો. આ સાથે જ તેના બીજા મિત્રોમાં અંકિત કિરીટભાઈ ઘાવરી અને જેનો બર્થ ડે હતો, તે રાહુલ આરોપી મયુરની રિક્ષામાં ત્યાં પહોંચ્યા હતાં.

જેમણે ધાર્મિકને સમજાવવાનો પ્રયાસ કરતાં ધાર્મિકે તેને ગાળો ભાંડી હતી. જેને કારણે બંને વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાઇ ગયેલા મયુરે પોતાની રિક્ષામાંથી છરી લઇ આવી તેનો એક જ ઘા ધાર્મિકની છાતીમાં ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જે જોઇ આરોપી મયુર ત્યાંથી રિક્ષા લઇને ભાગી ગયો હતો. બાકીના મિત્રોએ ધાર્મિકને સિવિલમાં ખસેડયો હતો. આ તમામ મિત્રો ડરી જતાં શરૂઆતમાં પોલીસને ઘંટેશ્વર પાસે અકસ્માતમાં ઇજા થયાનું જણાવ્યું હતું. આ ઘટનામા એ ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગર , રાઇટર મનોજભાઇ મકવાણા સહીતનાં સ્ટાફે આરોપીને ઘટના સ્થળે લઇ જઇ રીક્ધટ્રકશન કરાવ્યુ હતુ.