Rajkot: ગુનેગારો પર લગામ કસવા પોલીસનું નવું અભિયાન 'ઑપરેશન લુખ્ખા', DCP ક્રાઈમે દંડા સજાવ્યા

ક્રાઈમ બ્રાંચ સાથે તમામ પોલીસ મથકનો સ્ટાફ શહેરભરમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી લારીઓ-દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Nov 2025 08:43 PM (IST)Updated: Tue, 04 Nov 2025 08:43 PM (IST)
rajkot-news-dcp-crime-police-operation-lukha-announce-help-line-number
HIGHLIGHTS
  • આ ઑપરેશન અંતર્ગત લુખ્ખાઓને સીધા દોર કરાશે
  • ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ નંબર 6359629896 જાહેર કર્યો

Rajkot: શહેરમાં વધી રહેલી ગુનાખોરીને કાબુમાં લેવા અને અસામાજિક તત્વો અને લુખ્ખાઓને ભો-ભીતર કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સૂચનાથી DCP ક્રાઈમ જગદીશ બાંગરવા અને તેમની ટીમને આવા લુખ્ખાઓ અને અસામાજિક તત્વોને કાબુમાં લેવા એક્શન લેવાની શરૂ કર્યું છે.

એવામાં હવે ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર 63596 29896 જાહેર કર્યો છે. ક્રાઈમ બ્રાંચે લોકોને અપીલ કરી તેમનાં ઘર, ઓફિસ, નોકરી સહિતનાં સ્થળો આસપાસ ભય ફેલાવનાર કે લુખ્ખાગીરી કરનાર ઉપરાંત કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર અસામાજિક તત્વો અને લુખ્ખાઓ અંગે જાહેર કરાયેલા વોટ્સએપ નંબર ઉપર જાણકારી આપવા અનુરોધ કર્યો છે.

આ સાથોસાથ માહિતી આપનારનું નામ અને સરનામું સુરક્ષિત રાખવામાં આવશે રાજકોટ શહેરને અસામાજિક તત્વો અને લુખ્ખાઓથી મુક્ત કરાવવા નવા અભિયાનની શરૂૂઆત કરવામાં આવી છે.

મંગળા રોડ જાહેરમાં ફાયરીંગ કરી લોકોમાં ભય ફેલાવનાર તત્વોની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે, ત્યારે આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લુખ્ખાઓ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે.

શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ પોલીસે હવે લુખ્ખાઓ અને અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે અને ઓપરેશન લુખ્ખાના નામે પોલીસ મેદાને ઉતરી છે. ક્રાઈમ બ્રાંચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે.

ક્રાઈમ બ્રાંચ સાથે તમામ પોલીસ મથકનો સ્ટાફ શહેરભરમાં મોડી રાત સુધી ખુલ્લી રહેતી લારીઓ-દુકાનો બંધ કરાવવાનું શરૂ કર્યું છે. ત્યાર પછી વધુ એક પગલું લઈ ક્રાઈમ બ્રાંચે હવે અસામાજિક તત્વો અને લુખ્ખાઓને ભો-ભીતર કરવા નવા અધ્યાયનો પ્રાંરભ કર્યો છે. શહેરમાં લુખ્ખાગીરી કરતા લુખ્ખાઓ અને અસામાજિક તત્વોને કાબુમાં લેવા ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર 63596 29896 જાહેર કર્યો છે.

કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર આવા શખ્સોની માહિતી ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર ઉપર આપવા રાજકોટના નાગરીકોને અનુરોધ કરી માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. આ ઉપરાંત માહિતી આપનારને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.

આ અગાઉ પણ લુખ્ખાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે આ રીતે ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર જાહેર કર્યો હવે વધુ એક વખત ક્રાઈમ બ્રાંચે મોબાઈલ નંબર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા લુખ્ખાઓએ માઝા મૂકી છે. શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે આ સ્થિતિમાં હવે લુખ્ખાઓને સીધાદોર કરવાની જવાબદારી કાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.