Ahmedabad: આજ રોજ શહેરના પેલેડિયમ મોલમાં ફિટનેસપ્રેમીઓ અને શહેરની રનિંગ કમ્યુનિટીની સામે અદાણી અમદાવાદ મેરેથોનની 9મી સિઝન માટે ઓફિશિયલ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણમાં 15,000 રિસાયકલ પ્લાસ્ટિક બોટલના ઢાંકણાંમાંથી બનાવેલ મનમોહક કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે સર્જનાત્મકતા, ટકાઉપણું અને દેશભક્તિની ભાવનાના અસાધારણ સંગમનું પ્રતિનિધિત્વ કરે છે.
આ અનોખી પહેલમાં વાનીએ અદાણી સ્પોર્ટ્સલાઈન સાથે મળીને શહેરના રહેવાસીઓ પાસેથી ડિઝાઇન આમંત્રિત કરી, જેનો હેતુ તેમની પોતાની વાર્તા આધારિત ડિઝાઇન સાથે સ્થાનિક વિચારોને મિશ્રિત કરવાનો છે. પરિણામ એક જીવંત રચના છે, જે મેરેથોનના મુખ્ય હેતુ #Run4OurSoldiersની ઉજવણી કરે છે, અને અમદાવાદની સાંસ્કૃતિક ભાવનાને પણ આકર્ષિત કરે છે.
અદાણી સ્પોર્ટ્સ લાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું કે, 9મી અદાણી અમદાવાદ મેરેથોનની ઓફિશિયલ જર્સીના અનાવરણ સાથે, અમે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરી રહ્યા છીએ. હું અમારા સમુદાયના લોકો સાથે મળીને આ જર્સી ડિઝાઇન કરવા બદલ આકિબ વાનીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. આ ડિઝાઇન મેરેથોનના વધતા જતા વારસા અને શહેરની સર્જનાત્મક ઉર્જાને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે.
અદાણી અમદાવાદ મેરેથોન 'AIMS ગ્લોબલ મેરેથોન ઇવેન્ટ લિસ્ટ'નો એક ભાગ છે અને ભારતના સશસ્ત્ર દળોને સન્માનિત કરવાના તેના સામાજિક હેતુને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. આ વર્ષે પણ આ દોડ સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી શરૂ થશે અને તેનો રૂટ અમદાવાદના મુખ્ય સ્થળો જેમ કે અટલ બ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસ બ્રિજમાંથી પસાર થશે. આ ઇવેન્ટ 30 નવેમ્બરના રોજ યોજાશે અને તેમાં ચાર કેટેગરીઓ હશે - ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમી દોડ.
