Ahmedabad Train Time Table: બુલેટ ટ્રેન અને સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની કામગીરીને પગલે અમદાવાદ આવતી અને જતી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 6 ટ્રેનોને સાબરમતી સ્ટેશનથી અને 3 ટ્રેનોને ગાંધીનગર સ્ટેશન પરથી ઉપડશે. વેરાવળ એક્સપ્રેસ અને વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન ખાતે ઉભી રખાશે.
આ ટ્રેનો અમદાવાદની બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે
- 7 એપ્રિલથી ટ્રેન નં 12957 નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એસ્પ્રેસ
- 1 એપ્રિલથી ટ્રેન નં 19401 લખનઉ સાપ્તાહિક એસ્પ્રેસ
- 28 માર્ચથી ટ્રેન નં 19407 વારાણસી સાપ્તાહિક એસ્પ્રેસ
- 28 માર્ચથી ટ્રેન નં 19409 ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એસ્પ્રેસ
- 26 માર્ચથી ટ્રેન નં 20939 સુલ્તાનપુર સાપ્તાહિક એસ્પ્રેસ
- 31 માર્ચથી ટ્રેન નં 19415 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સાપ્તાહિક એસ્પ્રેસ
આ ટ્રેનો ગાંધીનગરથી ઉપડશે
- 2 એપ્રિલથી ટ્રેન નં 22957 વેરાવળ સુપરફાસ્ટ એસ્પ્રેસ
- 2 એપ્રિલથી ટ્રેન નં 19223 જમ્મુતવી એસ્પ્રેસ
- 16 માર્ચથી ટ્રેન નં 19119 વેરાવળ એસ્પ્રેસ
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.