GST On Gold Price In India: નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળની GST કાઉન્સિલે દેશમાં પરોક્ષ કર વ્યવસ્થાને સરળ બનાવી છે, જેમાં ત્રણ-સ્લેબ માળખું - 5%, 18% અને 40%નો સમાવેશ થાય છે. આ GST સ્લેબ હેઠળ તમામ ચીજવસ્તુઓને આવરી લેવામાં આવશે.
કાઉન્સિલે દૈનિક ઉપયોગની વસ્તુઓ પર GST ઘટાડીને મધ્યમ વર્ગ માટે મોટી કર રાહતની પણ જાહેરાત કરી છે. બીજી તરફ તમાકુ, દારૂ, ગુટખા જેવી હાનિકારક વસ્તુઓ તેમજ પ્રીમિયમ કાર અને બાઇક જેવી લક્ઝરી ચીજવસ્તુઓ પરના કર દરમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, સોનાના સિક્કા અને બાર સહિત ઝવેરાત પર GST દર 3% પર યથાવત છે અને મેકિંગ ચાર્જ પર 5% છે.
આ સમાચાર વાંચોઃ ઊંચા લેવલે નફારૂપી વેચવાલી નિકળતા સોનું રૂપિયા 1000 તૂટ્યું, ચાંદીમાં ઘટાડા તરફી વલણ
આ પણ વાંચો
ઝવેરાત, સોનાના સિક્કા અને બાર પર GST
- તમારા સોના અથવા કોઈપણ ઘરેણાંની ખરીદી પર નવીનતમ GST ફેરફારની કોઈ અસર થશે નહીં. જો તમે રૂપિયા 1,00,000ની કિંમતનો સોનાનો સિક્કો અથવા બાર ખરીદવા જઈ રહ્યા છો તો તેના પર 3% દર અથવા રૂપિયા 3000 લાગશે. તેથી સોનાના સિક્કા/બારની કિંમત તમારી રૂપિયા 1,03,000 થશે.
- હવે જો તમે 1,00,000 રૂપિયાના ઘરેણાં ખરીદો છો તો સોના કે ચાંદી પર 3% GST લાગશે અને મેકિંગ ચાર્જ પર 5% GST લાગશે. ઉદાહરણ તરીકે જો મેકિંગ ચાર્જ 5,000 રૂપિયા છે તો આ રકમ પર 5% GST એટલે કે 250 રૂપિયા વસૂલવામાં આવશે. તેનો અર્થ એ કે ઘરેણાંની કિંમત રૂપિયા 1,08,250 રૂપિયા થશે. તેમાં રૂપિયા 1,00,000 + રૂપિયા 3,000 (3 % GST) + રૂપિયા 5,000 (મેકિંગ ચાર્જ) + રૂપિયા 250 (મેકિંગ ચાર્જ પર 5% GST) સમાવેશ થાય છે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે સામાન્ય પ્રજા પર કરનો બોજ હળવો કરવા GST રિફંડ સુધારામાં વ્યવસાયોને મદદ કરવા અને ઘી, માખણ, રોટલી, શેમ્પૂ, વાળનું તેલ અને ટૂથપેસ્ટ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ પર દર ઘટાડીને અર્થતંત્રમાં એકંદર વપરાશને વેગ આપવા માટે મોટી જાહેરાતો કરી.
- GST કાઉન્સિલે પરોક્ષ કર માળખાને 5% અને 18% ના બે સ્લેબમાં સુવ્યવસ્થિત કરવાના કેન્દ્રના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં પાપ અને લક્ઝરી ચીજવસ્તુઓ માટે ખાસ 40% સ્લેબ રાખવામાં આવ્યો છે. આ ફેરફાર હાલના ચાર મુખ્ય સ્લેબ - 5%, 12%, 18% અને 28% - ને સરળ બે-દર સિસ્ટમ સાથે બદલશે.