Chahal and RJ Mahvash: યુઝવેન્દ્ર ચહલના લગ્ન વર્ષ 2020માં કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધનશ્રી વર્મા સાથે થયા હતા પરંતુ 2025માં બંનેના છૂટાછેડા થઈ ગયા. જો કે આ પછી ચહલનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવી રહ્યું હતું.
વાસ્તવમાં, ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી યુઝવેન્દ્ર ચહલ ઘણી વખત આરજે મહવશ સાથે જોવા મળ્યો હતો જેના કારણે તેમની ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. પરંતુ એક પોડકાસ્ટમાં ચહલે કહ્યું કે મહવશ ફક્ત તેની એક મિત્ર છે અને મુશ્કેલ સમયમાં તેને સારો એવો સાથ આપ્યો હતો.
હવે બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચાહકોએ જોયું છે કે બંને હવે એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા નથી , જેના કારણે શું ખોટું થયું હશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ફેન્સએ વિચારવા મજબૂર છે કે થોડા સમય પહેલા બંને સાથે જોવા મળ્યા હતા અને એકબીજાને પોતાના સારા મિત્રો કહી રહ્યા હતા. હવે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર પણ અનફોલો કરી દીધા છે. તો શું બંને વચ્ચેની મિત્રતામાં કોઈ તિરાડ પડી ગઈ છે?
યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ વચ્ચેના સંબંધોની અફવાઓએ ત્યારે વધુ ચર્ચા જગાવી હતી જ્યારે બંને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સાથે જોવા મળ્યા. તેમનો સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશે તાજેતરના અનફોલોઇંગ પર કોઈ ટિપ્પણી કરી નથી. આવી સ્થિતિમાં, ચાહકો આ અંગે સ્પષ્ટતા અને કોઈપણ પ્રકારના સંકેતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, અગાઉ પણ બંનેએ એકબીજા સાથે સંબંધ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
આરજે મહવશ પર ચહલનું ઘર તોડવાનો આરોપ
ચહલે રાજ શમાનીના પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું હતું કે - આ પહેલી વાર હતું જ્યારે હું કોઈની સાથે જાહેરમાં જોવા મળ્યો હતો, તેથી લોકોએ અટકળો શરૂ કરી. તેણી (આરજે મહવશ)ને ઘરભંગ કરનારી કહેવામાં આવતી હતી. લોકો પૂછતા રહ્યા કે તે ચહલ સાથે કેમ છે. મને ખરાબ લાગે છે કે એક મિત્ર જેણે મને મુશ્કેલ સમયમાં મદદ કરી હતી લોકો તેને આમાં ઘસડી રહ્યા છે.
