T20 વર્લ્ડ કપ 2026: સુપર 8માં દક્ષિણ આફ્રિકા સામેની મોટી હાર બાદ ટીમ ઈન્ડિયા માટે આ સમયે સૌથી મોટી સમસ્યા નેટ રન રેટ હોય તેવું લાગે છે. જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માંગતી હોય તો તેણે પોતાના નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો કરવો પડશે.
હાલમાં 76 રનથી હાર બાદ ટીમ ઇન્ડિયાનો નેટ રન રેટ -3.80 છે. ભારતીય ટીમનો પહેલું લક્ષ્ય ઝિમ્બાબ્વે સામેની મેચમાં મોટી જીત મેળવીને નેટ રન રેટને સકારાત્મક બનાવવાની રહેશે. ચાલો તમને જણાવીએ કે કયા સમીકરણો રચાઈ રહ્યા છે.
ટીમ ઇન્ડિયાની નેટ રન રેટ પ્લસમાં કેવી રીતે આવશે?
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા 26 ફેબ્રુઆરીએ ચેપોકમાં ઝિમ્બાબ્વે સામે રમશે. બંને ટીમો માટે સુપર 8માં આ બીજી મેચ હશે, જેમાં બંને હાર્યા પછી પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરતી વખતે ઝિમ્બાબ્વેને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવું પડશે. જો ટીમ ઈન્ડિયાના બોલરો ઝિમ્બાબ્વેને 150 રન સુધી રોકી દે છે, તો ટીમ ઈન્ડિયાએ 11 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરવું પડશે. બીજી બાજુ જો ઝિમ્બાબ્વે 180 રનનો લક્ષ્યાંક રાખે છે તો ટીમ ઈન્ડિયાએ 70 બોલથી ઓછા બોલમાં સફળ રન ચેઝ કરવો પડશે. આ સાથે જો ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરે છે અને 200 રન બનાવે છે તો ઝિમ્બાબ્વેને લગભગ 130 રન સુધી મર્યાદિત રહેવું પડશે. ઝિમ્બાબ્વે સામેની મેચ પછી ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ફક્ત આ સંજોગોમાં જ સકારાત્મક હોઈ શકે છે.
🚨 TEAM INDIA QUALIFICATION SCENARIOS 🚨
— Richard Kettleborough (@RichKettle07) February 24, 2026
Scenario 1:
WI vs SA - SA WIN
IND vs ZIM - IND WIN
SA vs ZIM - DOESN'T MATTERS
IND vs WI - IND WIN
(🇮🇳 and 🇿🇦 - Qualify)
Scenario 2:
WI vs SA - WI WIN
IND vs ZIM - IND WIN
SA vs ZIM - ZIM WIN
IND vs WI - IND WIN
(🇮🇳 and 🏝️ - Qualify) pic.twitter.com/iDLiBhnu4g
પહેલી જીતની શોધમાં ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે
ઝિમ્બાબ્વે સામેની મેચમાં સુપર 8માં પોતાની પહેલી જીત મેળવવાની કોશિશ કરશે. ભારતીય ટીમનું પહેલું લક્ષ્ય આ મેચ જીતવાનું અને પોતાના ખાતામાં 2 પોઈન્ટ ઉમેરવાનું રહેશે. હાલમાં, ટીમ ઈન્ડિયા શૂન્ય પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે. જો ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે જીતવા માંગતી હોય તો તેણે સારું રમવું પડશે અને પ્લેઇંગ 11માં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવા પડશે. તિલક વર્મા અને અભિષેક શર્માનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી સમસ્યા છે.
