India vs New Zealand ODI Series:ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઈજા બાદ સાજા થઈને પરત ફરેલ શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. શ્રેયસ ઐયરને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.
BCCI એ જાહેરાત કરી
BCCI દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ ન્યુઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી 11 જાન્યુઆરીથી વડોદરાના BCA સ્ટેડિયમ ખાતે શરૂ થશે. શ્રેયસ ઐયર ઈજામાંથી પાછો ફર્યો છે. તેની ઉપલબ્ધતા BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સને આધીન છે.
આ કારણે હાર્દિકને તક મળી ન હતી
બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે BCCIના મુખ્ય કાર્યકારી અધિકારીએ હાર્દિક પંડ્યાને મેચમાં 10 ઓવર બોલિંગ કરવાનો અધિકાર આપ્યો નથી.આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેમના વર્કલોડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
🚨 News 🚨
— BCCI (@BCCI) January 3, 2026
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
ODI શ્રેણી માટે ટીમમાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઋષભ પંતની પસંદગી કરવામાં આવી છે.પંતના ખરાબ ફોર્મને જોતાં એવી અટકળો ચાલી રહી હતી કે ઇશાન કિશન અથવા સંજુ સેમસનને અજમાવવામાં આવી શકે છે. જોકે પસંદગીકારોએ તેમ કર્યું નહીં.
ન્યુઝીલેન્ડ વનડે માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી,કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન)*, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નિતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ
વનડે શ્રેણીનું ટાઈમટેબલ
પ્રથમ વનડે: 11 જાન્યુઆરી, વડોદરા
બીજી વનડે: 14 જાન્યુઆરી, રાજકોટ
ત્રીજી વનડે: 18 જાન્યુઆરી, ઇન્દોર
