Asia Cup 2025: રવિવારે પૂર્વ ઝોનના કેપ્ટન ઈશાન કિશનને દુલીપ ટ્રોફી 2025 માંથી બહાર કરવામાં આવ્યો હતો. 27 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેનને થોડા સમય પહેલા પૂર્વ ઝોનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે તે 28 ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થનારી છ ટીમોની ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં. આવી સ્થિતિમાં, 20 વર્ષીય ઓડિશા વિકેટકીપર આશીર્વાદ સ્વૈનને ઈશાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓડિશા ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી.
ઇશાન કિશાન થયો બહાર
ઓડિશા ક્રિકેટ એસોસિએશને X પર લખ્યું છે કે, ઓડિશાના વિકેટકીપર-બેટ્સમેન આશીર્વાદ સ્વૈનને દુલીપ ટ્રોફી માટે પૂર્વ ઝોન ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, તે ઇશાન કિશનનું સ્થાન લેશે. તે સંદીપ પટનાયક સાથે ટીમમાં જોડાશે, જ્યારે સ્વસ્તિક સમાલને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે.
આ ખેલાડીને મળી તક
આશીર્વાદ સ્વૈને તેની કારકિર્દીમાં અત્યાર સુધી 11 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન, તેણે 21 ઇનિંગ્સમાં 30.75 ની સરેરાશથી 615 રન બનાવ્યા છે. તે અત્યાર સુધી આ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. જોકે, તેના બેટમાંથી 3 અડધી સદી આવી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 77 રન છે.
Odisha’s wicketkeeper-batter Aashirwad Swain has been selected for the East Zone squad in the Duleep Trophy, replacing Ishan Kishan! ??
— Odisha Cricket Association (@cricket_odisha) August 17, 2025
He joins Sandeep Pattnaik in the squad, while Swastik Samal has been named as standby. ?✨#odishacricketassociation #duleeptrophy #eastzone… pic.twitter.com/tgffJry9PU
પૂર્વ ઝોનની ટીમ
અભિમન્યુ ઇશ્વરન, આશીર્વાદ સ્વેન (વિકેટકીપર), સંદીપ પટનાયક, વિરાટ સિંહ, દાનિશ દાસ, શ્રીદમ પોલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગ્ર, રિયાન પરાગ, ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, આકાશ દીપ અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય: મુખ્તાર હુસૈન, વૈભવ સૂર્યવંશી, સ્વસ્તિક સામલ, સુદીપ કુમાર ઘરમી અને રાહુલ સિંહ
