Rishi Panchami 2026: વર્ષ 2026માં ઋષિ પંચમી ક્યારે છે? જાણો સપ્તર્ષિ પૂજાનું મુહૂર્ત અને વિધિ

હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની હારમાળામાં ઋષિ પંચમીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે ભાદરવા સુદ પાંચમના રોજ આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 18 Dec 2025 10:58 AM (IST)Updated: Thu, 18 Dec 2025 10:58 AM (IST)
rishi-panchami-2026-date-story-vrat-katha-and-puja-vidhi-significance-gujarati-calendar

Rishi Panchami 2026 Date: હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની હારમાળામાં ઋષિ પંચમીનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે ભાદરવા સુદ પાંચમના રોજ આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે સપ્તર્ષિઓની પૂજા કરવાની પરંપરા છે. વર્ષ 2026 માં ઋષિ પંચમી ક્યારે છે અને પૂજા માટે કયું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે, તે અંગેની વિગતો અહીં જાણો.

ઋષિ પંચમી 2026: તારીખ અને તિથિ

વર્ષ 2026 માં ઋષિ પંચમીનો તહેવાર 15 સપ્ટેમ્બર, મંગળવારના રોજ મનાવવામાં આવશે.

  • પંચમી તિથિ પ્રારંભ: 15 સપ્ટેમ્બર ના રોજ સવારે 07:44 વાગ્યે
  • પંચમી તિથિ સમાપ્ત: 16 સપ્ટેમ્બર ના રોજ સવારે 08:59 વાગ્યે

ઋષિ પંચમી પૂજાનું શુભ મુહૂર્ત

ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય 15 સપ્ટેમ્બરના રોજ સવારે 11:03 થી બપોરે 01:31 વાગ્યા સુધીનો રહેશે. ભક્તોને પૂજા માટે આશરે 2 કલાક અને 28 મિનિટનો સમય મળશે.

ઋષિ પંચમી વ્રતનું મહત્વ

આ વ્રત ખાસ કરીને મહિલાઓ માટે ફળદાયી માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી જાણતા-અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. મહિલાઓ અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે તેમજ સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ અનેરું માહાત્મ્ય છે.

ઋષિ પંચમી પૂજા વિધિ

  • સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું અને ઘરના મંદિરની સફાઈ કરવી.
  • મંદિરમાં દેવી-દેવતાઓને ગંગાજળથી સ્નાન કરાવી પવિત્ર કરવા.
  • ત્યારબાદ સપ્તર્ષિઓની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરવી અને કળશ મૂકવો.
  • ઋષિઓને તિલક, પુષ્પ, ધૂપ અને દીવો અર્પણ કરી પૂજા કરવી.
  • નૈવેદ્યમાં મીઠાઈ અર્પણ કરવી અને અંતમાં વ્રત કથા સાંભળી આરતી કરવી.