Shiva Mantra in Gujarati: ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે આ પાવન મંત્રોનો જાપ કરો, તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શ્રદ્ધા અને શાસ્ત્રીય વિધિથી શિવ પૂજા તથા મંત્રોચ્ચાર કરવાથી ભક્તોની મુશ્કેલીઓ દુર થાય છે. ત્યારે જાણો મંત્રોચ્ચાર કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 25 Feb 2025 03:23 PM (IST)Updated: Tue, 25 Feb 2025 03:23 PM (IST)
mahashivratri-2025-shiv-mantra-chant-to-please-lord-shiva-and-fulfill-all-wishes

Lord Shiva Mantra in Gujarati, Mahashivratri 2025: દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીની પવિત્ર ઉજવણી થાય છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ દિવસે થયા હતા. આ શુભ પ્રસંગે, શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક વિધિવત પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવી શકાય છે.

આ દિવસે ભગવાન શિવની પૂજા, ઉપવાસ અને મંત્રોચ્ચાર કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. ભોલેનાથ પોતાના ભક્તોની નિષ્ઠાથી પ્રસન્ન થાય છે અને તેમના પર કૃપા વરસાવે છે. મહાદેવ ખૂબ જ દયાળુ અને શિવભક્તિથી તૃપ્ત થનારા દેવ છે, તેથી તેઓ ફક્ત જળના અર્પણથી પણ પ્રસન્ન થઈ જાય છે. શિવભક્તો તેમને તૃપ્ત કરવા અને મનોચિત ફળ મેળવવા માટે વિવિધ રીતે ઉપાસના કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ મંત્રો દર્શાવવામાં આવ્યા છે. જો આ મંત્રો નિયમસર અને શ્રદ્ધાથી જપવામાં આવે, તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય છે. આવો, આ શક્તિશાળી મંત્રો વિશે વિગતવાર જાણીએ.

આ નિયમોનું પાલન કરીને મંત્રોનો જાપ કરો

ભગવાન શિવના મંત્રો જપવા માટે શાસ્ત્રોમાં કેટલીક ખાસ રીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માન્યતા છે કે જો આ નિયમોને અનુસરીને મંત્રોનો જાપ કરવામાં આવે, તો મહાદેવ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે.

  • હંમેશા સ્નાન કર્યા પછી અને શુદ્ધ, સ્વચ્છ વસ્ર ધારણ કર્યા પછી જ મંત્રોચ્ચાર કરો.
  • મંત્ર જપ કરતા પહેલા, શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા કરીને તેમનું ધ્યાન કરો.
  • સાચી ભક્તિથી મંત્રોનો જાપ કરો, જેથી તેનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થઈ શકે.

Mahashivratri 2025: શિવ મંત્ર

ભગવાન શિવનો મૂળ મંત્ર - ॐ नम: शिवाय।।

મહામૃત્યુંજય મંત્ર

ૐ ત્ર્યમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ,
ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યુમુક્ષીય મામૃતાત્ ॥

શિવના પ્રિય મંત્ર

  • ॐ नमः शिवाय।
  • नमो नीलकण्ठाय।
  • ॐ पार्वतीपतये नमः।

ભગવાન શિવના શક્તિશાળી મંત્રો

  • ओम साधो जातये नम:।। ओम वाम देवाय नम:।।
  • ओम अघोराय नम:।। ओम तत्पुरूषाय नम:।।
  • ओम ईशानाय नम:।। ॐ ह्रीं ह्रौं नमः शिवाय।।

શિવ ગાયત્રી મંત્ર

ॐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહી,
તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ॥