Labh Pancham Date 2025: લાભ પાંચમ ક્યારે છે, પૂજા વિધિ-શુભ મુહૂર્ત વિશેની આ માહિતી નોંધ કરી લો

લાભ પાંચમ (Labh Pancham) નો તહેવાર ખાસ કરીને વ્યવસાય-ઉદ્યોગો અને પરિવારો માટે ધન, સમૃદ્ધિ અને ખુશી લાવવા માટે ઉજવવામાં આવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 20 Oct 2025 07:13 PM (IST)Updated: Sat, 25 Oct 2025 11:26 AM (IST)
labh-pancham-2025-importance-of-labh-pancham-shubh-muhurat-puja-vidhi-and-shubh-muhurt

Labh Pancham Date 2025: લાભ પંચમ(Labh Pancham)નો તહેવાર ખાસ કરીને વ્યવસાય-ઉદ્યોગો અને પરિવારો માટે ધન, સમૃદ્ધિ અને ખુશી લાવવા માટે ઉજવવામાં આવે છે.આ દિવસે દેવી લક્ષ્મીને સમર્પિત હોય છે.

આ સાથે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરા હૃદયથી દેવી લક્ષ્મીજીની પૂજાવિધિ કરવાથી તથા વ્રત રાખવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને પરિવારમાં ખુશી જળવાઈ રહે છે.

જો તમે લાભ પંચમી એટલે કે લાભ પાંચમના દિવસે પૂજા કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસપણે દિવસ, શુભ સમય અને પૂજાની પદ્ધતિ અગાઉથી જાણવી જરૂરી છે.તો ચાલો લાભ પાંચમના શુભ સમયનું મહત્વ જાણીએ.

લાભ પાંચમના શુભ મુહૂર્ત (Labh Pancham Shubh Muhurat)


કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિ 26 ઓક્ટોબરના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:48 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓક્ટોબરના રોજ સવારે 6:04 વાગ્યે સમાપ્ત થાય છે. તેથી ઉદય તિથિ પ્રમાણે લાભ પાંચમ 26મી ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

લાભ પાંચમનું મહત્વ (Importance of Labh Pancham)

સનાતન ધર્મમાં લાભ પંચમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવતો આ તહેવાર આર્થિક સમૃદ્ધિ અને નફામાં વધારો દર્શાવે છે.

ઉદ્યોગપતિઓ માટે આ દિવસને નવા નાણાકીય વર્ષની શરૂઆત માટે શુભ દિવસ માનવામાં આવે છે. ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સ્વાસ્થ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે.