Chhoti Diwali 2024: અકાળ મૃત્યુથી છૂટકારો મેળવવા માંગો છો ? છોટી દિવાળીના દિવસે કરો આ સરળ ઉપાય

તમે પિતૃ દોષ અથવા અકાળ મૃત્યુથી છુટકારો મેળવવા માંગતા હોવ તો છોટી દિવાળીના દિવસે કેટલાક સરળ ઉપાયો થકી તમારી સમસ્યાને દૂર કરી શકો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 30 Oct 2024 09:54 AM (IST)Updated: Wed, 30 Oct 2024 09:54 AM (IST)
chhoti-diwali-2024-upay-effective-remedies-to-follow-on-narak-chaturdashi

Chhoti Diwali 2024 Upay: કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને નરક ચતુર્દશી, નરક ચૌદસ અને કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવાની પરંપરા છે. જો તમે પિતૃ દોષ અથવા અકાળ મૃત્યુથી છુટકારો મેળવવા માંગતા હોવ તો છોટી દિવાળીના દિવસે કેટલાક સરળ ઉપાયો થકી તમારી સમસ્યાને દૂર કરી શકો છે.

છોટી દિવાળીનો શુભ દિવસ અને શુભ મુહૂર્ત

પંચાંગ અનુસારછોટી દિવાળી 30 ઓક્ટોબરે બપોરે 1.15 કલાકે શરૂ થશે. અને બીજા દિવસે 31મી ઓક્ટોબરે બપોરે 3.52 કલાકે પૂરી થશે. છોટી દિવાળી પર પૂજા માટેનો શુભ સમય 30 ઓક્ટોબરે સાંજે 4:36 થી 6:15 સુધીનો રહેશે.

છોટી દિવાળી પૂજા વિધિ

  • સવારે ઉઠીને ભગવાન કૃષ્ણ, હનુમાનજી, યમરાજ અને મા કાલીનું પૂજન કરવું જોઈએ.
  • છોટી દિવાળીના દિવસે યમરાજની પૂજા કરવી
  • યમરાજના નામનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે.
  • ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ.
  • ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ અનાજની ઢગલી કરવી. તેના પર સરસવના તેલનો એકતરફી દીવો પ્રગટાવો.
  • દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ.
  • નરક ચતુર્દશીના દિવસે ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.
  • સાંજે દીપકનું દાન કરવાથી નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે.

છોટી દિવાળીના દિવસે આ ઉપાયો કરો

  • છોટી દિવાળીના દિવસે દીવાનું દાન કરો
  • ઘરના દરેક સભ્યએ યમના નામનો મોટો દીવો પ્રગટાવવો
  • ચાર મુખી દીવાને આખા ઘરમાં ફેરવવો જોઈએ.
  • ત્યારબાદ ઘરની બહાર જઈને આ દીવાને દૂર મુકી દો.
  • આ દરમિયાન પરિવારના અન્ય સભ્યોએ ઘરની અંદર રહેવું અને આ યમ દીપકને જોવું નહીં.

છોટી દિવાળી પર શું ન કરવું જોઈએ?

  • નરક ચતુર્દશીના દિવસે ઘરની દક્ષિણ દિશાને ગંદી ન કરો. આમ કરવાથી પિતૃઓ અને યમરાજ નારાજ થઈ શકે છે.
  • છોટી દિવાળીના દિવસે તલના તેલનું દાન ન કરો. આ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો.
  • નરક ચતુર્દશી કે છોટી દિવાળીના દિવસે ભૂલથી પણ સાવરણીને પગ ન મારો.
  • છોટી દિવાળીના દિવસે સાવરણી સીધી ન રાખવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તે ઘરમાં વાસ નહીં કરે.