Weather Tomorrow, 16 June 2026 | આવતીકાલનું હવામાન: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24 કલાક માટે અત્યંત ગંભીર હવામાનની આગાહી કરવામાં આવી છે. દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વિનાશક વાવાઝોડાને લઈને 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આવતીકાલે, 16 જૂને ઉત્તર ભારતથી લઈને પૂર્વીય રાજ્યો સુધી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે.
90 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વૃક્ષો ધરાશાયી થવાની ભીતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે વાવાઝોડાની તીવ્રતા ખૂબ વધારે રહેશે. પવનની ગતિ 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આટલી તેજ ગતિના પવનને કારણે રસ્તા પરના મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડી શકે છે, જેનાથી જાન-માલનું નુકસાન થવાની સંભાવના છે. વહીવટીતંત્રે લોકોને ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા અપીલ કરી છે.
કયા 19 રાજ્યોમાં રહેશે સૌથી વધુ અસર?
IMDના લેટેસ્ટ અપડેટ મુજબ, આ રાજ્યોમાં ભારે વરસાદ અને આંધણીનું સંકટ છે-
- ઉત્તર ભારત: દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ.
- પૂર્વીય અને મધ્ય ભારત: બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ.
- અન્ય રાજ્યો: જમ્મુ-કાશ્મીર, આસામ, મેઘાલય, તમિલનાડુ અને કેરળ.
ગુજરાતને લઈને હવામાન વિભાગની શું છે આગાહી
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના પગલે હાલ અમદાવાદ સહિતના શહેરોમાં જે પ્રકારની ગરમી અને ઉકળાટ અનુભવાઇ રહ્યો છે તે આગામી સાત દિવસ રહી શકે છે. મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રીની આસપાસ કેટલાક શહેરોમાં નોંધાઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, 15થી 17 જૂન 2026 દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 18 જૂનથી 21 જૂન 2026 દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
Advance of Southwest Monsoon 2026
— India Meteorological Department (@Indiametdept) June 15, 2026
❖ The Southwest Monsoon has further advanced into remaining parts of Andhra Pradesh, West Bengal & westcentral Bay of Bengal, some more parts of Telangana, Odisha, Jharkhand & Bihar, today the 15th June, 2026.
❖ The Northern Limit of Monsoon… pic.twitter.com/wvbTBJc3Ce
ચક્રવાતી પરિભ્રમણનું કારણ
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરી હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં નીચલા ક્ષોભમંડળના સ્તરે એક ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સક્રિય છે. આ ઉપરાંત, પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે, જે વાદળોને વધુ ઘનઘોર બનાવી રહી છે અને તોફાન માટે જવાબદાર છે.
ખેડૂતો અને માછીમારો માટે ખાસ સૂચના
- ખેડૂતો: પૂર્વી રાજ્યોમાં વાવાઝોડાને કારણે તૈયાર પાકને ભારે નુકસાન થઈ શકે છે, તેથી ખેડૂતોને પાકની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે.
- માછીમારો: નદી કે દરિયાકિનારાના વિસ્તારોમાં જોખમી સ્થિતિ હોવાથી માછીમારોને પાણીમાં ન ઉતરવા તાકીદ કરવામાં આવી છે.
- પહાડી વિસ્તારો: પહાડી રાજ્યોમાં ભારે વરસાદની સાથે કરા પડવાની (Hailstorm) શક્યતા છે, જે પ્રવાસ માટે જોખમી સાબિત થઈ શકે છે.
પૂર્વીય રાજ્યોમાં ભારે વીજળીના કડાકા અને વજ્રપાત (વીજળી પડવી) ૉની પણ ચેતવણી આપવામાં આવી છે. સામાન્ય જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખે અને સુરક્ષિત સ્થળે રહે.
